1. Home
  2. ગુજરાતી
  3. રક્ષાબંધન પર્વ પર મુસ્લિમ મહિલાઓ ભાજપ નેતાઓને બાંધશે રાખડી,PM મોદીની સૂચના
રક્ષાબંધન પર્વ પર મુસ્લિમ મહિલાઓ ભાજપ નેતાઓને બાંધશે રાખડી,PM મોદીની સૂચના

રક્ષાબંધન પર્વ પર મુસ્લિમ મહિલાઓ ભાજપ નેતાઓને બાંધશે રાખડી,PM મોદીની સૂચના

0
Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના પર આગામી રક્ષાબંધનના તહેવાર પર ભાજપના નેતાઓ અને મુસ્લિમ મહિલાઓ વચ્ચે રક્ષાબંધનનો તહેવાર મનાવાશે . મુસ્લિમ મહિલાઓ ભાજપ અને NDA પાર્ટીઓના સાંસદો અને નેતાઓને રાખડી બાંધશે.મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકના દર્દમાંથી મુક્તિ અપાવનાર પીએમ મોદીએ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તેમની સાથે સીધા જોડાવા માટેનો મંત્ર આપ્યો છે.મોદી ભાજપ અને એનડીએના સાંસદો સાથે બેઠક કરી રહ્યા છે. તાજેતરમાં, જ્યારે તેમણે પ્રથમ બેઠક યોજી હતી, ત્યારે તેમણે તેમના સાંસદોને મુસ્લિમ મહિલાઓને લઈને એક મહત્વપૂર્ણ સૂચના આપી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદીએ બીજેપી અને ઘટક પાર્ટીઓના સાંસદોને મુસ્લિમ મહિલાઓ પાસે જવા અને તેમની સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવવા માટે કહ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે ભાજપ અને એનડીએના સાંસદોએ મુસ્લિમ મહિલાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવી જોઈએ. પીએમ મોદીએ મુસ્લિમ મહિલાઓને રાખડી બાંધીને સાંપ્રદાયિક એકતાના ઉદાહરણના સંદર્ભમાં આ નિર્દેશ આપ્યા છે. મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશાના સાંસદો સાથેની બેઠકમાં આ વાત કહી.

પીએમ મોદીએ પોતાના નિર્દેશોમાં તમામ સાંસદોને સમાજના દરેક વર્ગ સાથે જોડાવા માટે પણ કહ્યું છે. પીએમ મોદીની આ સૂચનાને સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા વિકાસ અને સબકા પ્રયાસના ધ્યેય તરીકે જોવામાં આવે છે.

PM મોદીએ 2014માં પહેલીવાર સરકાર બનાવી ત્યારથી તેઓ સતત કહેતા આવ્યા છે કે તેમની સરકાર અને ભાજપની રાજ્ય સરકારો સમાજના તમામ વર્ગો માટે કોઈપણ ભેદભાવ વિના કામ કરશે. મોદીએ ભાજપની રાજ્ય સરકારો અને તેમની કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ પણ સમાજના તમામ વર્ગોને આપી છે. મોદીએ પસમાંદા સમુદાયના દાનિશ અન્સારીને પણ યુપીની યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી બનાવ્યા છે.

તાજેતરમાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતની મુસ્લિમ મહિલાઓની હજ યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમએ આ વર્ષની હજ યાત્રાને એ અર્થમાં વિશેષ ગણાવી હતી કે આવી 4,000 થી વધુ મહિલાઓ મેહરમ (પુરુષ વાલી) વિના વાર્ષિક હજયાત્રા પર ગઈ હતી.

‘મન કી બાત’માં પીએમ મોદીએ ભારતની મુસ્લિમ મહિલાઓ દ્વારા તેમના પુરૂષ માતા-પિતા કે વાલીઓ વિનાની હજ યાત્રાને ‘મોટા પરિવર્તન’ ગણાવ્યા હતા. બીજી તરફ, વડા પ્રધાને કહ્યું કે તેમને મુસ્લિમ મહિલાઓના ઘણા પત્રો મળ્યા છે, જેમાં તેઓએ આ વર્ષે હજના તેમના અનુભવો શેર કર્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code