Site icon Revoi.in

નરેન્દ્ર મોદીએ લાઈવ ચેસ રેટિંગમાં 2800નો આંકડો પાર કરવા બદલ અર્જુન એરિગૈસીને અભિનંદન પાઠવ્યા

Social Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગૈસીને જીવંત ચેસ રેટિંગમાં 2800નો આંકડો પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ ભારતીયોને ગૌરવ અપાવવા માટે તેમની અસાધારણ પ્રતિભા અને દ્રઢતાની પણ પ્રશંસા કરી હતી અને સાથે જ કહ્યું હતું કે તેનાથી વધુ અનેક યુવાનોને પણ પ્રેરણા આપશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું, “લાઇવ ચેસ રેટિંગમાં 2800નો આંકડો પાર કરવા બદલ અર્જુન એરિગેસીને અભિનંદન! આ એક અસાધારણ સિદ્ધિ છે. તેની અસાધારણ પ્રતિભા અને દ્રઢતા આપણા સમગ્ર દેશને ગર્વ અપાવે છે. એક મહાન વ્યક્તિગત સીમાચિહ્ન હોવા ઉપરાંત, તે ઘણા વધુ યુવાનોને રમવા માટે પ્રેરણા પણ આપશે. ચેસ અને વૈશ્વિક મંચ પર ચમકવા માટે તેમને તેમના ભાવિ પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”