1. Home
  2. ગુજરાતી
  3. ત્રિપુરાના આવાસ યોજનાના લાભાર્થીઓને મોદી સરકારની ભેટ, બેંક ખાતામાં 700 કરોડ રૂપિયા કર્યા ટ્રાન્સફર
ત્રિપુરાના આવાસ યોજનાના લાભાર્થીઓને મોદી સરકારની ભેટ, બેંક ખાતામાં 700 કરોડ રૂપિયા કર્યા ટ્રાન્સફર

ત્રિપુરાના આવાસ યોજનાના લાભાર્થીઓને મોદી સરકારની ભેટ, બેંક ખાતામાં 700 કરોડ રૂપિયા કર્યા ટ્રાન્સફર

0
Social Share
  • ત્રિપુરા આવાસ યોજનાના લાભાર્થીઓને મોદી સરકારી ભેટ
  • પીએમ મોદીએ ત્રિપુરાના 1 લાખથી વધુ લાભાર્થીઓના ખાતામાં 700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા
  • બેંક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કર્યા

નવી દિલ્હી: ત્રિપુરાના લાભાર્થીઓને મોદી સરકારને ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના 1 લાખ 47 હજારથી વધુ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા 700 કરોડ રૂપિયા ટ્રાંસફર કર્યા. લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ-યોજના-ગ્રામીણ હેઠળ તેમના પાકા મકાનો માટે ગ્રાંટ ફાળવાશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી આ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

બેંક ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યા બાદ પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે વાત કરતા કહ્યું કે, 7 વર્ષથી અમારો પ્રયાસ રહ્યો છે કે સરકારની યોજનાનો લાભ મળે. પહેલાં સરકારની યોજનાનો લાભ માત્ર ચુનંદા લોકોને જ મળતો હતો.

પીએમ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થી  એવા અનીતા સાથે વાત કરી હતી કે, હું તમને પાકું મકાન આપીશ પરંતુ તમારા બાળકને એક સુનિશ્વિત ભાવિ તમને જ આપી શકો છો એટલા માટે બાળકોને ભણાવજો.

અન્ય એક લાભાર્થી સાથે સંવાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે, શું તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ માટે કોઇ અરજી અથવા હપ્તો મેળવવા માટે કોઇને લાંચ આપવી પડી. જો આપી હોય તો કહેજો તો તેના પર લાભાર્થીએ પ્રત્યુત્તર આપ્યો હતો કે મારે આ યોજના માટે કોઇને પણ લાંચ આપવી પડી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code