1. Home
  2. ગુજરાતી
  3. નવરાત્રિ પર્વઃ કળશ સ્થાપનાનું મુહૂર્ત અને મહત્વ
નવરાત્રિ પર્વઃ કળશ સ્થાપનાનું મુહૂર્ત અને મહત્વ

નવરાત્રિ પર્વઃ કળશ સ્થાપનાનું મુહૂર્ત અને મહત્વ

0
Social Share

દર વર્ષે શ્રાદ્ધ પર્વ પૂર્ણ થયા બાદ બીજા દિવસે શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. હિન્દુ પંચાગ અનુસાર ભાદરવા સુદ અમાસના દિવસે સર્વ પિતૃ અમાવસ્યાનો પર્વ ઉજવવાની સાથે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થાય છે. જે બાદ આસો સુદ-1થી નવરાત્રિનો પ્રારંભ થાય છે. તેમજ 9 દિવસ સુધી નવરાત્રિ પર્વની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે. આ નવ દિવસ માતાજીના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રિમાં નવ દિવસની ધાર્મિક માહોલમાં ઉજવણી થાય છે.

હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષમાં ચાર વાર નવરાત્રિ મહોત્સવ આવે છે જેમાં શારદીય અને ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્વ છે. નવરાત્રિ પર, પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી કલશ સ્થાપિત કરીને દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે દેવી મા શૈલપુત્રીના પ્રથમ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે મા દુર્ગા હાથી પર સવાર થઈને ધરતી પર આવી રહી છે.

હિંદુ કેલેન્ડર મુજબ, આ વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 ઓક્ટોબરે રાત્રે 11:24 વાગ્યાથી શરૂ થશે, જે 16 ઓક્ટોબરની સવારે 1:13 વાગ્યા સુધી રહેશે. આ રીતે, ઉદયા તિથિના આધારે, શારદીય નવરાત્રી 15 ઓક્ટોબર 2023 થી શરૂ થશે. તે 23 ઓક્ટોબરે સમાપ્ત થશે અને 24 ઓક્ટોબરે દશમી તિથિના રોજ વિજયાદશમી ઉજવવામાં આવશે.

નવરાત્રિના પ્રથમ દિવસે શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને કલશની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ 9 દિવસ સુધી સતત દેવી પૂજાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે અને આ દિવસે કલશની સ્થાપના કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 11:44 થી બપોરે 12:30 સુધીનો છે. શાસ્ત્રો અનુસાર શુભ સમયે કરવામાં આવેલ કાર્ય અને પૂજા વિધિ હંમેશા સફળ થાય છે.

આ વર્ષે શારદીય નવરાત્રીનો તહેવાર 15 ઓક્ટોબર, રવિવારથી શરૂ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, માતા દુર્ગા હાથી પર સવાર થઈને સ્વર્ગમાંથી પૃથ્વી પર આવશે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિના દિવસોમાં માતા દુર્ગા પૃથ્વી પર વાસ કરે છે. માતા દુર્ગા કોઈ ને કોઈ વાહન પર સવાર થઈને સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે. વાર મુજબ જે દિવસે નવરાત્રિની પ્રતિપદા તિથિ આવે છે તે દિવસે માની યાત્રા નક્કી કરવામાં આવે છે. રવિવારે આવતી નવરાત્રિની પ્રતિપદા તિથિને કારણે માતા હાથી પર સવારી કરશે. હાથીને સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે, આવી સ્થિતિમાં મા દુર્ગા પૃથ્વી પર સુખ, સમૃદ્ધિ લાવશે.

  • શારદીય નવરાત્રી 2023 તારીખો

નવરાત્રિનો પ્રથમ દિવસ          માતા શૈલપુત્રીની પૂજા            15 ઓક્ટોબર 2023

નવરાત્રિના બીજા દિવસ          માતા બ્રહ્મચારિણીની પૂજા     16 ઓક્ટોબર 2023

નવરાત્રિના ત્રીજા દિવસ           માતા ચંદ્રઘંટાનું પૂજન            17 ઓક્ટોબર 2023

નવરાત્રિનો ચોથો દિવસ          માતા કુષ્માંડાની પૂજા             18 ઓક્ટોબર 2023.

નવરાત્રિનો પાંચમો દિવસ        માતા સ્કંદમાતાની પૂજા          19 ઓક્ટોબર 2023

નવરાત્રિનો છઠ્ઠો દિવસ            માતા કાત્યાયનીની પૂજા        20 ઓક્ટોબર 2023.

નવરાત્રીનો સાતમો દિવસ       મા કાલરાત્રીની પૂજા              21 ઓક્ટોબર 2023

નવરાત્રીનો આઠમો દિવસ       મા સિદ્ધિદાત્રીની પૂજા           22 ઓક્ટોબર 2023

નવરાત્રીનો નવમો દિવસ         માતા મહાગૌરીની પૂજા         23 ઓક્ટોબર 2023

દશમી તિથિ                           વિજયાદશમી તહેવાર            24 ઓક્ટોબર 2023

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code