નૌસેનાની તાકાતમાં થયો બેગણો વધારો – આઈએનએસ કરંજ 50 દિવસો સુધી પાણીમાં રહીને દુશ્મનોનો નાશ કરવાની ક્ષમતાથી સજ્જ
- નોસેનામાં સામેલ થઈ આઈએનએસ કરંજ
- નૌસેનાની તાકાતમાં થયો વધારો
દિલ્હીઃ- દેશમાં ત્રણે સેનાઓને સંપૂર્ણ શક્તિ પુરી પાડવા માટે અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે નૌકાદળની તાકાતમાં બેગણો વધારો થવા પામ્યો છે,નોકાદળમાં હવે માસ્કોર્પિન વર્ગની ત્રીજી સબમરીન આઈએનએસ કરંજ સમાવેશ પામી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, આઈએનએસ કરંજ સ્કોર્પિન ક્લાસ સબમરીન નેવીના પ્રોજેક્ટ-75 હેઠળ નિર્માણ પામી રહી છે. નૌસેનાને આ હેઠળ 6 સબમરીન મળવા જઈ રહી છે, 3 સબમરિન હાલ સુધી નૌસેનામાં આવી ચૂકી છે.
આઈએનએસ કરંજ ભારતીય નૌકાદળમાં સામેલ થવાથી હવે ભારતની સ્થિતિ મજબુત થતાની સાથે તેની તાકાતમાં બે ગણો વધારો નોંધાશે . તેની ખાસિયતની જો વાત કરીએ તો અંદાજે 50 દિવસો સુધી દરિયાની ગરેહાઈમાં તે ડૂબેલી રહી શકે છે અને દુશ્મનો પર બાજ નજર રાખીને પાણીની અંદર ડૂબેલી રહીને જ તે દુશ્મનોનો નાશ કરવાની ક્ષમતા ઘરાવે છે.
જાણો આ આઈએનએસ નોસેનાની ખાસિયતો
- આઈએનએસ કરંજ પાણી અને ઇલેક્ટ્રિક પાવર બંનેથી સજ્જ ત્રીજી સબમરીન છે.
- ભારતીય નૌકાદળમાં અત્યાર સુધી બે સબમરિન જોડાઈ ચુકી છે. ત્રીજી INS કરંજ આજે જોડાઈ રહી છે.
- સપાટી અને પાણીની અંદરથી ટોર્પિડો અને ટ્યુબ લોન્ચડ એન્ટી શિપ મિસાઈલને ફાયર કરવાની ક્ષમતા ધારવે છે
- ખાસ દૂશ્મનોનો નાશ કરવાની ક્ષમતા બનાવે છે
- 50 દિવસો સુધી પાણીમાં રહીને વાર કરી શકે છે
- પાણીમાં 350 મીટર સુધી વાર કરવાની ક્ષમતા ઘરાવે છે
- લાંબા અંતરના મિશન પર જતા સમયે ઓક્સિજન લેવા માટે સપાટી પર આવવાની અનિવાર્યતા રહેશે નહી
સાહિન-