1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીનો નવો અવતાર
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીનો નવો અવતાર

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીનો નવો અવતાર

0
Social Share

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન એમ.એસ.ધોની હાલ ઈન્ડિયન પ્રીમિયલ લીગ એટલે કે આઈપીએલની 14મી સીઝનની પ્રેક્ટિસ કરી રહ્યાં છે. તાજેતરમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટનનો નેટ્સમાં બેટીંગ કરતો વીડિયો સામે આવ્યો હતો. હવે ધોનીની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહી છે. ધોની આ તસ્વીરને જોઈને પ્રશંકો ચોંકી છે. આ તસ્વીરમાં બૈદ્ધ સાધુ જેવા દેખાય છે. જેથી સવાલો ઉભા થયા છે કે, શું આઈપીએલ 2021 પહેલા ધોનીએ સાંસારિક મોહ માયાથી સન્યાસ લઈ લીધો છે.

ધોનીની આ તસ્વીર ઇન્ડિયન પ્રીમિયર લીગના સત્તાવાર બ્રોડકાસ્ટર્સ કરતી ટીવી ચેનલના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે. આ ફોટોમાં ધોનીએ મુંડન કરાવેલુ નજરે પડે છે. તેમજ બોદ્ધ સાધુ જેવા કપડામાં કોઈ જંગલમાં બેઠેલા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ધોનીની આ તસ્વીરનો જોઈને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ધોનીની આ તસ્વીર જાહેરાતનો ભાગ હોવાનું મનાઈ રહ્યું છે. ધોની આઈપીએલ 2021માં તૈયારીઓમાં લાગેલા છે. તેમજ આ વર્ષે પણ ચેન્નાઈ સુપર કિંગ્સના કપ્તાન છે. તાજેતરમાં જ ધોનીનો અભ્યાસ કરતો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ પોતાની સ્ટાઈલમાં બેટિંગ કરતા નજરે પડ્યાં હતા.

અત્રે ઉલ્લેખની છે કે, આઈપીએલ  2021ની પહેલી મેચ 9મી એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાશે. તેમજ ચેન્નાઈ સુપર કિંગ્સ તા. 10મી એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સની સામે પોતોના અભિયાનની શરૂઆત કરશે. આઈપીએલને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. તેમજ આઈપીએલની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code