1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઇન્કમટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં, 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને નહીં ભરવું પડે IT રિટર્ન
ઇન્કમટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં, 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને નહીં ભરવું પડે IT રિટર્ન

ઇન્કમટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં, 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને નહીં ભરવું પડે IT રિટર્ન

0
Social Share

દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે રજૂ કરેલા બજેટમાં કરદાતાઓ કેટલીક રાહતની આશા રાખીને બેઠા હતા. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા ઈન્કમટેસ્ક સ્બેલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારે 75 વર્ષથી વધુના ઉંમરના લોકોને ટેસ્કમાંથી રાહત આપી છે. ભારતને સ્વતંત્રતા મળ્યાના 75 વર્ષ પૂર્ણ થવાને લઇને આ છૂટ આપવામાં આવી છે.

નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે દુનિયા એટલા મોટા સંકટમાંથી પસાર થઇ રહ્યું છે બધાની નજર ભારત પર છે. એવામાં આપણે ટેક્સપેયર્સને બધી સુવિધા આપવી જોઇએ. હવે 75 વર્ષના વધારે ઉંમરવાળા સનીનિયર સીટીઝનને રાહત આપવામાં આવી છે. 75 વર્ષથી વધારે ઉંમરવાળાને ટેક્સ માળખામાંથી મુક્ત કરાયા છે. જ્યારે ઈન્કમટેક્સના સ્લેબને યથાવત રાખવામાં આવ્યો છે. રૂ. 2.50 લાખ સુધીની આવકમર્યાદામાં નીલ, રૂ. 2,50,001 થી રૂ. 5 લાખ સુધી 5 ટકા, 5,00,001થી 10 લાખ સુધીમાં 20 ટકા અને રૂ. 10 લાખથી વધુની આવકમાં 30 ટકા સુધી ટેક્સ ચુકવવાનો રહેશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે, NRI લોકોએ ટેક્સ ભરવા માટે ઘણી મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે તેઓને ડબલ ટેક્સ સિસ્ટમમાંથી છૂટ આપવામાં આવી રહી છે. નાણામંત્રીએ એલાન કર્યું છે કે સ્ટાર્ટ અપને જો ટેક્સ આપવાની શરુઆત આપવામાં આવી હતી, તેને હવે 31 માર્ચ 2022 સુધી વધારવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code