1. Home
  2. ગુજરાતી
  3. માત્ર ભારતમાં જ નહી પાડોશી દેશોમાં પણ બિરાજમાન છે માતાજી, આટલા દેશોમાં અહીં આવેલા છે શક્તિપીઠ
માત્ર ભારતમાં જ નહી પાડોશી દેશોમાં પણ બિરાજમાન છે માતાજી, આટલા દેશોમાં અહીં આવેલા છે શક્તિપીઠ

માત્ર ભારતમાં જ નહી પાડોશી દેશોમાં પણ બિરાજમાન છે માતાજી, આટલા દેશોમાં અહીં આવેલા છે શક્તિપીઠ

0
Social Share

15 મી ઓક્ટોબરના રોજથી નવલી નવરાત્રીનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે માતાજીના શક્તિપીઠ વિશે જાણવું મહત્વની બાબત છે આપણે સૌ કોઈ જાણીએ છે કે  કુલ 52 શક્તિ પીઠ આવેલા છે જો કે તેમાંથી ઘણા શક્તિ પીઠ ભારતમાં નથી જી હા વિદેશમાં પણ શક્તિ પીઠ આવેલા છે માતાજી વિદેશની ઘરતી પર પણ બિરાજમાન છે.આમ તો વિશ્વવભરમાં 52 શક્તિ પીઠ આવેલા છે.જે તમામ ભારતમાં જ છે. ભારત સિવાય વિદેશમાં પણ શક્તિ પીઠ આવેલા છે.એટલે કે માતાજીના  મંદિરો માત્ર ભારતમાં જ આવેલા  છે તે માન્ક્તોયતા તદ્દન ખોટી છે.પાકિસ્તાન તિબ્બતમાં પણ શક્તિ પીઠ આવેલા છે.

શક્તિપીઠોના અસ્તિત્વમાં આવવા પાછળ એક પૌરાણિક કથા છે જે મુજબ ભગવાન શિવની પ્રથમ પત્ની માતા સતીએ તેમના પિતા રાજા દક્ષની પરવાનગી વિના ભોલેનાથ સાથે લગ્ન કર્યા હતા. જે બાદ રાજા દક્ષે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં તેમણે માતા સતી અને ભોલેનાથને આમંત્રણ આપ્યું ન હતું. માતા સતી આમંત્રણ વિના યજ્ઞમાં પહોંચી ગયા હતા જ્યારે ભોલેનાથે માતાને ત્યાં જવાની મનાઈ કરી હતી. માતા સતીને આમંત્રણ વિના યજ્ઞ કરતા જોઈને તેમના પિતાએ માતા સતીની સામે તેમના પતિનું અપમાન કર્યું અને તેમનું અપમાન કર્યું. માતા સતી આ સહન ન કરી શક્યા અને યજ્ઞની પવિત્ર યજ્ઞ અગ્નિમાં કૂદીને પોતાનો જીવ આપી દીધો. ભોલેનાથ પોતાની પત્નીનું મૃત્યુ સહન ન કરી શક્યા અને માતા સતીના મૃત દેહ સાથે તાંડવ કરવા લાગ્યા, જેના પરિણામે બ્રહ્માંડ પર પ્રલય થવા લાગ્યો, જેને રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર ચલાવ્યું જેના કારણે માતા સતીના શરીરના ટુકડા થઇ ગયા. માતા સતીના શરીરના અંગો અને આભૂષણો પૃથ્વી પર વિવિધ સ્થળોએ 51 ટુકડાઓમાં પડ્યા હતા, જે શક્તિપીઠ બન્યા હતા.

તિબ્બતની મનસા શક્તિપીઠભારત પાસે આવેલા તિબબ્તમાં પણ હિન્દુ ઘ્રમના લોકો વસવાટ કરે છે જેઓ હિન્દુ સંસ્કૃતિને અનુસરે છે.અહી માનસરોવરના કાંઠે મનસા દેવીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે.કહેવામાં આવે છે કે માતા સતીની  જમણા હાથની હથેળી અહી પડી હતી અહીના મંદિરની અનેક માન્યતાઓ છે.

પાકિસ્તાનમાં હિંગુલા શક્તિપીઠઃ આપણા પાડોશી દેશ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં દેવી માનું શક્તિ પીઠ આવેલું છે.જેનું નામ છે હિંગુલા શક્તિપીઠ. અહી હિંગલાજ દેવીની આરધના પૂજા કરવામાં આવે છે. એવી માન્તાય છે કે અહી હિંગલાલ દેવીનું માથુ પડ્યુંહતું આ મંદિરને નાની નું મંદિર અથવા નાની ની હજ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ શક્તિપીઠને ચમત્કારથી ભરેલ માનવામાં આવે છે.એવી પણ કથાો છે કે અનેક આતંકી હુમલાઓ થયા છત્તા અહીનું મંદિર અડીખમ રહ્યું છે.

શ્રીલંકાનું  ઈન્દ્રાક્ષી શક્તિપીઠ – ભારતના દક્ષિણમાં સ્થિતિ શ્રીલંકામાં પણ દેવીમાતાનું જાણીતું મંદિર સ્થાયિ છે.જેનું નામ ઈન્દ્રાક્ષી શક્તિપીઠ છે,જાફના નલ્લુરમાં માતાને ઈન્દ્રાક્ષી માનથી ઓળખવામાં આવે છેય.અહી માતા સતીની ઝાંઝરી પડી હોવાનું મનાઈ છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે દેવરાજ ઈન્દ્ર અને ભગવાન રામે આ શક્તિપીઠની પૂજા કરી હતી.

નેપાળમાં ત્રણ શક્તિપીઠ

આદ્યા શક્તિપીઠ – આદ્ય શક્તિપીઠ નેપાળમાં ગંડક નદી પાસે આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર માતા સતીનો ડાબો ગાલ પડ્યો હતો. અહીં માતાના ગંડકી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુહેશ્વરીશક્તિપીઠ – નેપાળમાં એક ગુહેશ્વરી શક્તિપીઠ છે, જે પશુપતિનાથ મંદિરથી થોડે દૂર બાગમતી નદીના કિનારે સ્થિત છે. એવું માનવામાં આવે છે કે અહીં માતા સતીના બંને ઘૂંટણ પડ્યા હતા. અહીં શક્તિના મહામાયા સ્વરૂપ અને ભગવાન શિવના ભૈરવ કપાલ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

દંતકાલી શક્તિપીઠ – નેપાળના વિજયપુર ગામમાં એક દંતકાલી શક્તિપીઠ છે. કહેવાય છે કે અહીં માતા સતીના દાંત પડી ગયા હતા.

બાંગલા દેશમાં શક્તિપીઠ

ઉગ્રતારા શક્તિપીઠ- બાંગ્લાદેશમાં કુલ પાંચ શક્તિપીઠ છે. ઉગ્રતારા શક્તિપીઠ સુનંદા નદીના કિનારે આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર માતા સતીની નાક પડી હતી. એવું કહેવાય છે કે અહીં માતા સતી શિવ ત્ર્યંબક સાથે દેવી સુગંધાના રૂપમાં નિવાસ કરે છે.

અપર્ણા શક્તિપીઠ– બાંગ્લાદેશના ભવાનીપુર ગામમાં માતા સતીના ડાબા પગની પાયલ પડી ગઈ હતી. આ શક્તિપીઠ અપર્ણા શક્તિપીઠ કહેવાય છે.

શ્રીશૈલ મહાલક્ષ્મી – સિલહેટ જિલ્લામાં, શૈલ નામનું સ્થાન દેવીની શ્રીશૈલ શક્તિપીઠ છે. આ જગ્યાએ માતા સતીનું ગળું પડ્યું હતું. અહીં માતાના મહાલક્ષ્મી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ચત્તલ ભવાની– માતા સતીનો જમણો હાથ ચટગાંવ જિલ્લામાં સીતા કુંડ સ્ટેશન પાસે ચંદ્રનાથ પર્વત શિખર પર છત્રાલમાં પડ્યો હતો. તેને ચત્તલ ભવાની શક્તિપીઠ કહેવામાં આવે છે, જ્યાં માતાના ભવાની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

યશોરેશ્વરી માતા શક્તિપીઠ– બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં યશોરેશ્વરી માતાનું એક શક્તિપીઠ છે. આ જગ્યાએ માતાની ડાબી હથેળી પડી હતી.

જયંતિ શક્તિપીઠ – સિલહટ જિલ્લામાં જ, જયંતિયા પરગનામાં ખાસી પર્વત પર જયંતી માતાનું એક શક્તિપીઠ છે, જ્યાં માતા સતીની ડાબી જાંઘ પડી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code