1. Home
  2. ગુજરાતી
  3. હવે રૂ. 2000ના દરની નોટ તા. 7મી ઓક્ટોબર સુધી જમા કરાવી શકાશે, RBIની જાહેરાત
હવે રૂ. 2000ના દરની નોટ તા. 7મી ઓક્ટોબર સુધી જમા કરાવી શકાશે, RBIની જાહેરાત

હવે રૂ. 2000ના દરની નોટ તા. 7મી ઓક્ટોબર સુધી જમા કરાવી શકાશે, RBIની જાહેરાત

0
Social Share

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 2000ની નોટ બંધ કરવાની જાહેરાત કરીને તેને બેંકમાં જમા કરાવા માટે પ્રજાને તા. 30મી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. આજે રૂ. 2000ની નોટ બેંકમાં જમા કરવાનો અથવા બદલાવવાનો અંતિમ દિવસ હતો. જો કે, આરબીઆઈએ રૂ. 2000ની નોટ બદલાવા માટે દેશની જનતાને રાહત આપીને એક સપ્તાહનો સમય લંબાવ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટ બદલવાની સમયમર્યાદા વધારી દીધી છે. તેને હવે 7 ઓક્ટોબર સુધી બદલી શકાશે. રિઝર્વ બેંકે મોટો નિર્ણય લઈને લોકોને રાહત આપી છે. અગાઉ, 2000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરાવવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર એટલે કે આજે જ સમાપ્ત થઈ રહી હતી. આરબીઆઈએ તેને વધુ એક સપ્તાહ લંબાવ્યું છે.

આરબીઆઈના નિર્ણય બાદ હવે તમે 7 ઓક્ટોબર 2023 સુધી બેંકોમાં જઈને 2000 રૂપિયાની નોટ બદલી અથવા જમા કરાવી શકશો. જે લોકો અત્યાર સુધી 2000 રૂપિયાની નોટ બદલી શક્યા નથી તેમના માટે આ મોટી રાહત છે. આ સાથે હવે લોકોને નોટો બદલવા માટે એક સપ્તાહનો વધારાનો સમય મળ્યો છે. આરબીઆઈએ આને લગતો સર્ક્યુલર જારી કર્યો છે. RBIના પરિપત્ર મુજબ, જો તમે 7 ઓક્ટોબર, 2023 પછી નોટો બદલી શકતા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 31મી ઓગસ્ટ સુધીમાં 92 ટકાથી વધારેની રૂ. 2000ની નોટ પરત જમા થઈ હતી. સપ્ટેમ્બર મહિનાના પ્રારંભમાં લગભગ 24 હજાર કરોડની નોટો માર્કેટમાં ચલણમાં હતી. આમ 31મી ઓગસ્ટ સુધીમાં રૂ. બે હજારના દરની લગભગ 3.32 લાખ કરોડની નોટ પરત જમા થઈ હતી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code