1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઓપરેશન કાવેરીઃ સુદાનથી 56 ગુજરાતીઓ વહેલી પરોઢિયે અમદાવાદ આવી પહોંચ્યા
ઓપરેશન કાવેરીઃ સુદાનથી 56 ગુજરાતીઓ વહેલી પરોઢિયે અમદાવાદ આવી પહોંચ્યા

ઓપરેશન કાવેરીઃ સુદાનથી 56 ગુજરાતીઓ વહેલી પરોઢિયે અમદાવાદ આવી પહોંચ્યા

0
Social Share

અમદાવાદઃ સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ‘ઓપરેશન કાવેરી’ અંતર્ગત હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનું  ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. સુદાનથી 56 ગુજરાતીઓ આજે વહેલી પરોઢિયે અમદાવાદ  પહોંચ્યા હતા. આ વેળાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવિણા ડીકે તેમજ ઓપરેશન ‘ કાવેરી’ સાથે સંકળાયેલા વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે  ત્યાં વસેલા વિશ્વભરના નાગરિકો ફસાયા છે. આવી સ્થિતિમાં ભારત પ્રથમ દેશ  છે જેણે રેસ્ક્યુની યોજના તેમજ મંત્રી અને અધિકારીઓની એક ટીમ બનાવીને એરફોર્સ, લશ્કરી દળ સાથે મળીને સુદાનમાં ફસાયેલ નાગરીકોને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન ‘કાવેરી’ શરૂ કર્યુ છે. ઓપરેશન ‘કાવેરી’ અંતર્ગત ગુજરાતના 56 લોકોને જેદ્દાહથી મુબંઇ ખાતે ખાસ ઇવેક્યુએશન ફલાઇટ્સ- C17થી ભારત લાવવામાં આવ્યા હતા. આ  ગુજરાતીઓને રાજ્યના અધિકારીઓ દ્વારા મુબંઇ ખાતે રિસિવ કરવામાં આવ્યા હતા. આ 56 ગુજરાતીઓ પૈકી 12 લોકોએ પોતાની આગવી સુવિધા કરેલી હોવાથી બાકીના 44 ગુજરાતીઓને મુંબઇથી અમદાવાદ  ખાતે વોલ્વો બસ દ્વારા લાવવામાં આવ્યાં હતાં.

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં આવ્યા બાદ આ સૌ પ્રવાસીઓને પોતાના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી પણ રાજ્ય સરકારે ઉઠાવી છે. સુદાનમાંથી ગુજરાતીઓ ભારતમાં પહોંચ્યા બાદ ત્યાંથી તેમના માદરે વતન સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની આગવડ ઊભી ન થાય તેની પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. મુંબઈ થી અમદાવાદ લાવ્યા બાદ રાજકોટ જિલ્લાના 39,  ગાંધીનગર જિલ્લાના 9, આણંદ જિલ્લાના 3 તથા વડોદરા જિલ્લાના 5 ગુજરાતીઓને પોતાના વતનમાં પરત રવાના કરવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ઓપરેશન ‘કાવેરી’ અંતર્ગત ગુજરાત સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને તમામ ગુજરાતીઓની માહિતી તેમને પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે પણ ગુજરાતીઓની યાદી બનાવીને વિદેશ મંત્રાલયને મોકલી આપી છે. જો હજુ કોઈપણ ગુજરાતીઓ આવવાના બાકી હશે તેમને પણ સહી સલામત ગુજરાતમાં લાવવાની કામગીરી કરવામાં આવશે અને ફ્લાઇટ કે અન્ય ટ્રાન્સપોર્ટેશન દ્વારા તેમના ઘર સુધી તેઓને પહોંચાડવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code