1. Home
  2. ગુજરાતી
  3. બજેટ સત્ર દરમિયાન વિપક્ષનો હોબાળો – બપોરે 2 વાગ્યા સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
બજેટ સત્ર દરમિયાન વિપક્ષનો હોબાળો – બપોરે 2 વાગ્યા સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

બજેટ સત્ર દરમિયાન વિપક્ષનો હોબાળો – બપોરે 2 વાગ્યા સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

0
Social Share
  • બજેટ સત્ર દરમિયાન વિપક્ષના હોબાળો 
  •  2 વાગ્યા સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

દિલ્હીઃ-  આજે બજેટનો બીજો દિવસ છે.બજેટના બીજે દિવસે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. આ પછી સંસદના બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. અગાઉ, સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા સરકારને ઘેરવા માટે બેઠક યોજી હતી.

આ સાથે જ આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા બાદ સંસદમાં જવાબ આપશે. રાષ્ટ્રપતિના સંબોધન પર ચાર દિવસ સુધી ચર્ચા થશે. અગાઉ કોંગ્રેસે બજેટ સત્રમાં કેન્દ્ર સરકારને ઘેરવાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું હતું.

વિપક્ષના નેતાઓએ સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણ અને બજેટને લઈને સરકારને ઘેરવા માટે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેના રૂમમાં બેઠક યોજી હતી. ખડગેના નેતૃત્વમાં આ બેઠકમાં કુલ 13 વિરોધ પક્ષો  સહીત શિવસેના  કેરળ કોંગ્રેસે ભાગ લીધો હતો.

સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા વિરોધ પક્ષોએ સરકારને ઘેરવા માટે બેઠક યોજી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓ’બ્રાયન, ડીએમકેના કનિમોઝી, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, શિવસેનાના નેતા હાજર રહ્યા હતા

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તમામ પક્ષોના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે દેશમાં આર્થિક દૃષ્ટિકોણથી બની રહેલી ઘટનાઓને ગૃહમાં ઉઠાવવી પડશે, તેથી અમે નોટિસ આપી છે. અમે આ નોટિસ પર ચર્ચા ઇચ્છતા હતા, પરંતુ જ્યારે પણ અમે નોટિસ આપીએ છીએ ત્યારે તેને ફગાવી દેવામાં આવે છે. 
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code