1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર અને વઢવાણના લોકમેળોનો પ્રારંભ, લોકો ઉત્સાહભેર મેળાને માણવા ઉમટી પડ્યાં
સુરેન્દ્રનગર અને વઢવાણના લોકમેળોનો પ્રારંભ, લોકો ઉત્સાહભેર મેળાને માણવા ઉમટી પડ્યાં

સુરેન્દ્રનગર અને વઢવાણના લોકમેળોનો પ્રારંભ, લોકો ઉત્સાહભેર મેળાને માણવા ઉમટી પડ્યાં

0
Social Share

સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના લોકમેળાઓ ગામે-ગામ યોજાતા હોય છે. કોરોનાના કપરા કાળને કારણે છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળા ન થઈ શક્યા હતા. ત્યારે આ વખતે બન્ને શહેરોમાં લોકમેળાઓ યોજાતા ઝાલાવાડવાસીઓ ઉત્સાહભેર લોકમેળામાં ઉમટી રહ્યા છે. વઢવાણનો લોક મેળો અને સુરેન્દ્રનગરનો લોકમેળો સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત બન્યો છે. ત્યારે વઢવાણ અને સુરેન્દ્રનગરનો લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર નગરપાલિકા આયોજિત મેળો જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરના મેળાનું મેદાન રૂપિયા 31 લાખમાં નગરપાલિકા દ્વારા ભાડે આપવામાં આવ્યું છે. જ્યારે વઢવાણનું મેદાન 41 લાખથી વધુ રકમ વસુલાત કરી ભાડે આપી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ બાદ સુરેન્દ્રનગરની પ્રજા લોકમેળો માણવા માટે થનગનાટ અનુભવી રહ્યું છે. ત્યારે બુધવારે વહેલી સવારે વઢવાણનો લોક મેળો મહંત માધવેન્દ્ર પ્રસાદ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે. તેમજ સુરેન્દ્રનગરનો લાક મેળો દુધરેજ વડવાળા મંદિરના મહંત મુકુંદ રામદાસજી બાપુના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 2 વર્ષ બાદ લોકો મેળાનો આનંદ માણવા જઈ રહ્યા છે. ત્યારે વઢવાણ અને સુરેન્દ્રનગરના બંને લોકમેળા જનતા માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. બુધવારે સાંજથી બંને મેળામાં લોકો વિવિધ રાઇડોની આનંદ માણી રહ્યા છે. જ્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે પોલીસ પ્રોટેક્શનની વ્યવસ્થા પણ મેળામાં ઉપલબ્ધ કરવામાં આવી છે.

વઢવાણ ખાતે નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, કનકસિંહ તથા જિલ્લા પોલીસવડા હરેશ દુધાત તથા ભવાનસિંહ મોરી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અને મેળાનું ઉદઘાટન કરી નાખવામાં આવ્યું છે. બે વર્ષ બાદ સુરેન્દ્રનગર અને વઢવાણની પ્રજા સુખદ રીતે મેળો માણી શકશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. વઢવાણ ખાતે કલાકારોને બોલાવવામાં આવશે રાત્રી દરમિયાન લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવશે. જીગ્નેશ કવિરાજ, ગીતાબેન રબારી સહિતના  કલાકારોના  લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code