1. Home
  2. ગુજરાતી
  3. વજન ઓછું કરનારા લોકોએ આ પ્રકારનો ડાયટ ભૂલથી પણ ફોલો કરવો જોઈએ નહીં, કારણ કે….
વજન ઓછું કરનારા લોકોએ આ પ્રકારનો ડાયટ ભૂલથી પણ ફોલો કરવો જોઈએ નહીં, કારણ કે….

વજન ઓછું કરનારા લોકોએ આ પ્રકારનો ડાયટ ભૂલથી પણ ફોલો કરવો જોઈએ નહીં, કારણ કે….

0
Social Share

શરીરનું વજન ઉતારવા માટે લોકો અનેક પ્રયાસ કરતા હોય છે, ક્યારેક લોકો એવી ભારે ભારે કસરત કરતા હોય છે તો ક્યારેક ડાયટ પણ ફોલો કરતા હોય છે. આવામાં જે લોકો ડાયટનો વધારે ઉપયોગ કરે છે તે લોકોએ તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમણે કેટલાક પ્રકારનો ડાયટ તો બિલકુલ ફોલો કરવો જોઈએ નહી જેમ કે કેટો ડાયટ.

જાણકારોના કહેવા પ્રમાણે આ પ્રકારનો ડાયટ ફોલો કરવામાં આહારમાં વધુ ચરબીનું સેવન કરવાથી કીટોન્સનું નિર્માણ થાય છે, જે ચરબીને ઊર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. જોકે આ આહાર વજન ઘટાડવામાં ફાયદાકારક છે, પરંતુ કેટલાક લોકોએ તેને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મનના હિસાબે કીટો ડાયટની દિનચર્યા નુકસાન પહોંચાડી શકે છે. જાણો ક્યા લોકોએ કીટો ડાયટની રૂટિન ફોલો ન કરવી જોઈએ.

આ ઉપરાંત 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના જ્યારે શરીરનો ઝડપથી વિકાસ થાય છે અને તેથી જ તેમને એવો આહાર લેવાની સલાહ આપવામાં આવે છે, જેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને અન્ય પોષક તત્વો ભરપૂર હોય. કેટો ડાયેટ એટલે કે લો કાર્બ આહાર તેમના વિકાસમાં અવરોધ લાવી શકે છે. જો બાળકનું વજન વધારે હોય, તો પણ તેણે ઓછા કાર્બ આહારનું પાલન ન કરવું જોઈએ. જો કે વજન જાળવી રાખવા માટે ઓછી કેલરી આધારિત આહાર લઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે આ માહિતીને જાણકારીના આધારે નક્કી કરવામાં આવી છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code