PM મોદીએ રાજકોટના હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન – જાણો તેમના સંબોધનની વાતોના કેટલાક અંશો
રાજકોટઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ગુરુવારે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. તેઓ એ અહી રાજકોટ શહેર નજીક આવેલા હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે.
માહિતી અનુસાર ઉદ્ધાટનના આ ખાસ આ પ્રસંગે પીએમ મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા પછી, પીએમ મોદીએ પરિસરની આસપાસ ફર્યા અને અધિકારીઓ પાસેથી સુવિધાના તકનીકી પાસાઓ વિશે શીખ્યા.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકોટ શહેર પાસે શરુ થનારું આ એરપોર્ટ આ રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે અને તેનું નિર્માણ 1 હજાર 405 કરોડ રુપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે, આ એરપોર્ટ રાજકોટથી અંદાજે 30 કિલો મીટરના અતંરે હિરાસર ગામમાં નિર્માણ પામ્યું છે.