પીએમ મોદીએ 1857ની ઘટનાઓનો ભાગ હતા તે તમામ લોકોને તેમની ઉત્કૃષ્ટ હિંમત માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1857ની ઘટનાઓમાં ભાગ લેનારા તમામ લોકોને તેમની ઉત્કૃષ્ટ હિંમત માટે શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વિટમાં, વડાપ્રધાનએ કહ્યું; “આ દિવસે 1857માં ઐતિહાસિક પ્રથમ સ્વતંત્રતા યુદ્ધની શરૂઆત થઈ, જેણે આપણા સાથી નાગરિકોમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરી અને વસાહતી શાસનને નબળું પાડવામાં યોગદાન આપ્યું. હું તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું જેઓ 1857ની ઘટનાઓનો ભાગ હતા અને ઉત્કૃષ્ટ હિંમત બતાવી હતી.”
On this day in 1857 began the historic First War of Independence, which ignited a spirit of patriotism among our fellow citizens and contributed to the weakening of colonial rule. I pay homage to all those who were a part of the events of 1857 for their outstanding courage.
— Narendra Modi (@narendramodi) May 10, 2022
1857માં દેશભરમાં સિપાહીઓએ અંગ્રેજ અધિકારીઓ સામે બળવાનું બ્યૂગલ ફૂંકી દીધું હતું, એ સમયે ગુજરાતીઓએ પણ અંગ્રેજો સામે હથિયાર ઉપાડી લીધા હતા, પરંતુ તેમના પ્રદાન તથા એ સમયની ઘટનાઓ અંગે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે.
તા. 29મી માર્ચ 1857ની સાંજે ભારતીય સૈનિક મંગલ પાંડેયએ અંગ્રેજ અધિકારીને ગોળી મારી, આ સાથે જ ભારતભરના સૈનિકોના આક્રોશને વાચા મળી અને તેમણે અંગ્રેજો સામે હથિયાર ઉઠાવી લીધા.
મંગલ પાંડેયને તો ફાંસીના માંચડે લટકાવી દેવાયા, પરંતુ તેમણે જે બળવાનું બ્યૂગલ ફૂંક્યું તેણે અનેક ભારતીય સૈનિકોના દિલમાં ક્રાંતિની ભાવનાને જાગૃત કરી દીધી. મેરઠ, લખનૌ, અવધ, અને દિલ્હી સહિત સમગ્ર દેશમાં સૈનિકો દ્વારા બળવાની ઘટનાઓ નોંધાવા લાગી હતી.