1. Home
  2. ગુજરાતી
  3. PM મોદી આજે ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધિત કરી
PM  મોદી આજે ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધિત કરી

PM મોદી આજે ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધિત કરી

0
Social Share
  • આપત્તિનો પ્રતિભાવ સંકલિત હોવો જોઈએ, અલગ નહીં -પીએમ મોદી
  • CDRI કોન્ફરન્સને પીએમ મોદીએ કરી સંબોધિત

દિલ્હીઃ- આજરોજ મંગળવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધિત કરી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં, આપત્તિઓની અસર માત્ર સ્થાનિક નહીં હોય, પરંતુ એક વિસ્તારમાં આપત્તિ સંપૂર્ણપણે અલગ વિસ્તારમાં ભારે અસર કરી શકે છે.આ સાથે જ પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આપણો પ્રતિભાવ સંકલિત હોવો જોઈએ, અલગ નહીં.

આ સંમેલનને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે અમારી પાસે અગાઉ બનેલી ઘટનાઓમાંથી શીખવાનો એક જ રસ્તો છે. દરેક દેશ વિવિધ પ્રકારની આફતોનો સામનો કરે છે.ઉલ્લેખનીય છે કે ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ  આ વર્ષની થીમ ‘ડિલિવરિંગ રિસિલિઅન્ટ એન્ડ ઈન્ક્લુઝિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ છે. આ મુખ્ય વાર્ષિક કાર્યક્રમમાં 50 વૈશ્વિક સંસ્થાઓ, ખાનગી ક્ષેત્ર અને શૈક્ષણિક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા 20 થી વધુ દેશોના લગભગ 90 નિષ્ણાતો ઉપસ્થિતિ રહેતા હોય છે.

પીએમ મોદીએ કહ્યું કે આ બાબતે વૈશ્વિક સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્ર પણ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. થોડા વર્ષોમાં, 40 થી વધુ દેશો સીડીઆરઆઈનો ભાગ બની ગયા છે. આમ આ કોન્ફરન્સ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહી છે. અદ્યતન અર્થતંત્રો અને વિકાસશીલ અર્થતંત્રો, નાના દેશો અને મોટા દેશો, ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથ આ પ્લેટફોર્મ પર એકસાથે આવી રહ્યા છે.

પીએમ મોદીએ વાતને આગળ વધારતાની સાથે જ એવું પણ કહ્યું હતું કે  ઈન્ફ્રાસ્ટ્રક્ચરે કોઈને પાછળ ન છોડવું જોઈએ અને કટોકટીના સમયમાં પણ લોકોની સેવા કરવી જોઈએ. સામાજિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું જ મહત્વપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે  ભૂતકાળમાં સૌથી મોટી દુર્ઘટના તુર્કી અને સીરિયામાં ભૂકંપની જોવા મળી હતી. જ્યારે આ વર્ષે 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપના કારણે બંને દેશોમાં 40 હજારથી વધુ લોકોના મોત થયા હતા. વિનાશક ભૂકંપ બાદ ભારતે પણ રાહત અને બચાવ કાર્ય માટે પોતાની ટીમ મોકલી હતી,

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code