1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના સાબરમતી નદી પરના ફૂટ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ, PM મોદી લોકાર્પણ કરશે
અમદાવાદના સાબરમતી નદી પરના ફૂટ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ, PM મોદી લોકાર્પણ કરશે

અમદાવાદના સાબરમતી નદી પરના ફૂટ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ, PM મોદી લોકાર્પણ કરશે

0
Social Share

અમદાવાદઃ  શહેરમાં રિવરફ્રન્ટના વિકાસ બાદ સાબરમતી નદી પર રૂપિયા 75 કરોડના ખર્ચે આઈકોનિક ફુટ ઓવરબ્રિજની કામગીરી મોટાભાગની પૂર્ણ  થઈ ગઈ છે. આ ફુટ ઓવરબ્રિજનું લોકોર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. આ ફુટ ઓવરબ્રીજ માત્ર શહેરીજનોને જ નહી બહારગામથી અમદાવાદ આવતા લોકો માટે પણ ફરવાનું આકર્ષણનું સ્થળ બની રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર માટે વધુ એક આકર્ષણ એવા એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે રૂ 75 કરોડના ખર્ચે બાંધવામાં આવેલો આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના પદાધિકારીઓએ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આગામી મહિને વડાપ્રધાન મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી પુરી શકયતા છે. આ ફુટ ઓવરબ્રિજ ઉદઘાટન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PMOને જાણ કરીને વડાપ્રધાનનો સમય માંગવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવ્યું હતું કે સાબરમતી નદી પર બાંધવામાં આવેલો ફૂટ ઓવર બ્રિજનું નામ અટલ બ્રિજ આપવામાં આવ્યું છે. તેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સપનું હતું. 95 ટકા કામગીરી બ્રિજની પૂર્ણ થઈ ગઈ છે માત્ર ફિનિશિગ અને ઓવરબ્રિજ પર થોડું કામ બાકી છે. ઝડપથી આ કામગીરી પૂર્ણ થઇ જતાં ફુટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે. આ ફૂટ ઓવરબ્રિજમાં પ્રવેશ માટેની ફી અને સમય આગામી દિવસોમાં નક્કી કરાશે.

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર પદયાત્રીઓ અને સાઇક્લિસ્ટો માટે આ ફૂટ ઓવરબ્રિજ આકર્ષણરૂપ બની રહે તે માટે કેટલીક વિશિષ્ટ સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફૂટ ઓવરબ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી ઊભી કરાશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીનો સ્ટોલ ઊભો કરાશે અને ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે. આ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ 300 મીટર લાંબો અને પશ્ચિમ તથા પૂર્વના બંને છેડેથી તેમાં પદયાત્રીઓ સાઇક્લિસ્ટો આવન-જાવન કરી શકશે. આ ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ 2019ના અંતમાં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાકાળને કારણે ખાસ્સો લાંબો સમય કામ બંધ રહેતા વિલંબ થતાં મે મહિનાના અંતમાં બાંધકામ પૂરું કરીને તેનું લોકાર્પણ કરાશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code