1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે મંગળવારે પીએમ મોદી કરશે સંવાદ
રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે મંગળવારે પીએમ મોદી કરશે સંવાદ

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે મંગળવારે પીએમ મોદી કરશે સંવાદ

0
Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી જાન્યુઆરીના રોજ મંગળવારે સાંજે 4 વાગ્યે તેમના નિવાસસ્થાન, 7 LKM ખાતે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે.

ભારત સરકાર બાળકોને ઈનોવેશન, સોશિયલ સર્વિસ, સ્કોલેસ્ટિક, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર અને બહાદુરી એમ છ કેટેગરીમાં તેમની અસાધારણ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરી રહી છે. દરેક પુરસ્કાર મેળવનારને મેડલ, 1 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.

આ વર્ષે, બાલ શક્તિ પુરસ્કારની વિવિધ શ્રેણીઓ હેઠળ દેશભરમાંથી 11 બાળકોને PMRBP-2023 માટે પસંદ કરવામાં આવ્યા છે. પુરસ્કાર મેળવનારાઓમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 6 છોકરાઓ અને 5 છોકરીઓનો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code