1. Home
  2. ગુજરાતી
  3. PM વિશ્વકર્મા યોજના પશ્ચિમ બંગાળમાં શરૂ કરાશે
PM વિશ્વકર્મા યોજના પશ્ચિમ બંગાળમાં શરૂ કરાશે

PM વિશ્વકર્મા યોજના પશ્ચિમ બંગાળમાં શરૂ કરાશે

0
Social Share

નવી દિલ્હી, 23 મે 2026: PM Vishwakarma Yojana ભારત સરકારના MSME મંત્રાલયના અધિક સચિવ અને ડેવલમેન્ટ કમિશનર (MSME) ડૉ. રજનીશે પશ્ચિમ બંગાળ સરકારના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં PM વિશ્વકર્મા યોજના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ યોજના ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા 17 સપ્ટેમ્બર, 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી અને તાજેતરમાં પશ્ચિમ બંગાળ સરકારે પશ્ચિમ બંગાળમાં પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવા માટે રાજ્ય દેખરેખ સમિતિ (સ્ટેટ મોનિટરિંગ કમિટી) અને જિલ્લા અમલીકરણ સમિતિઓની (ડિસ્ટ્રિક્ટ ઇમ્પ્લીમેન્ટેશન કમિટીઓની) રચના માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

PM વિશ્વકર્માના અમલીકરણને વેગ આપવા, લાભાર્થીઓની ઓળખમાં સુધારો કરવા, કૌશલ્ય વિકાસને મજબૂત કરવા અને પરંપરાગત કારીગરો તેમજ શિલ્પકારોમાં વ્યાપક પહોંચ સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ વાતચીતમાં રાજ્યમાં અન્ય MSME યોજનાઓના અમલીકરણ અને ઉત્તમ સંકલન તેમજ સંસ્થાકીય સહયોગ દ્વારા MSME ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટેની વ્યૂહરચનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

મુખ્ય સચિવે પશ્ચિમ બંગાળમાં એમએસએમઈ વિકાસને મજબૂત કરવા માટે ભારત સરકારના એમએસએમઈ મંત્રાલયના સતત સહયોગની પ્રશંસા કરી હતી અને કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પશ્ચિમ બંગાળ સરકારના MSME અને ટેક્સટાઇલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજેશ પાંડે અને રાજ્યના પદાધિકારીઓ સાથે પણ એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના અધિકારીઓ અને બેન્કર્સને પીએમ વિશ્વકર્માની પહોંચ અને અમલીકરણની પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

ડૉ. રજનીશે ભારતની પરંપરાગત કુશળતાને જાળવી રાખવા અને આધુનિક સાધનો, ઔપચારિક નાણાકીય પહોંચ તેમજ શ્રેષ્ઠ બજાર તકો દ્વારા કારીગરોને સશક્ત બનાવવામાં પીએમ વિશ્વકર્મા યોજનાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે પશ્ચિમ બંગાળ, તેની પરંપરાગત હસ્તકલા અને કારીગર સમુદાયોના સમૃદ્ધ વારસા સાથે, આ યોજનાના સફળ અમલીકરણ માટે નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. પશ્ચિમ બંગાળમાં પીએમ વિશ્વકર્મા હેઠળ હાલમાં 7.79 લાખ કારીગરો અને શિલ્પકારો નોંધાયેલા છે.

મુલાકાત દરમિયાન ડૉ. રજનીશે પશ્ચિમ બંગાળના MSME એસોસિએશનો સાથે પણ વાતચીત કરી હતી અને તેમને એમએસએમઈના વિકાસ અને પ્રગતિની સુવિધા માટે એમએસએમઈ મંત્રાલયના ફ્લેગશિપ કાર્યક્રમો વિશે માહિતગાર કર્યા હતા. પશ્ચિમ બંગાળમાં એમએસએમઈને તકનીકી, ટૂલિંગ અને ટેસ્ટિંગ સહાય વિસ્તૃત કરવા માટે કોલકાતા ખાતેના ટેકનોલોજી સેન્ટર અને ટેસ્ટિંગ સેન્ટરની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે 21 મે, 2026 ના રોજ MSME ટેસ્ટિંગ સેન્ટર, કોલકાતા ખાતે “ટ્રાન્સફોર્મર ટેસ્ટિંગ ફેસિલિટી” (ટ્રાન્સફોર્મર પરીક્ષણ સુવિધા) નું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

આ આધુનિક ટ્રાન્સફોર્મર પરીક્ષણ સુવિધાની સ્થાપનાથી ખર્ચ સ્પર્ધાત્મકતા સાથે એક જ છત નીચે સસ્તી અને વિશ્વસનીય પરીક્ષણ સેવાઓ ઉપલબ્ધ થશે. આ સુવિધા ઉદ્યોગ અને ઉપયોગિતાની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સ્ટેપ-અપ અને સ્ટેપ-ડાઉન બંને ટ્રાન્સફોર્મર્સ સહિત વ્યાપક ક્ષમતા ધરાવતા ટ્રાન્સફોર્મર્સના પરીક્ષણને ટેકો આપશે. આ પ્રોજેક્ટથી ટ્રાન્સફોર્મર ઉત્પાદનમાં રોકાયેલા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને (MSMEs) આ પ્રદેશમાં જ વિશ્વસનીય અને પ્રમાણિત પરીક્ષણ સુવિધાઓની પહોંચ પૂરી પાડીને નોંધપાત્ર ફાયદો થવાની અપેક્ષા છે, જેનાથી દૂરની પ્રયોગશાળાઓ પરની નિર્ભરતા ઘટશે અને પરીક્ષણ માટે લાગતો સમય ઓછો થશે.

વધુ વાંચો: સરકારનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિકાસની સાથે રોજગાર સર્જનનો છે: ડૉ મનસુખ માંડવિયા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code