1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના રસ્તાઓ પર ઘાસ વેચનારા અને રખડતા ઢોરના માલીકો સામે પોલીસે 116 કેસ કર્યા
અમદાવાદના રસ્તાઓ પર ઘાસ વેચનારા અને રખડતા ઢોરના માલીકો સામે પોલીસે 116 કેસ કર્યા

અમદાવાદના રસ્તાઓ પર ઘાસ વેચનારા અને રખડતા ઢોરના માલીકો સામે પોલીસે 116 કેસ કર્યા

0
Social Share

અમદાવાદ:  ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે શહેર ટ્રાફિક પોલીસે પણ  રખડતા ઢોર સામે ઝૂંબેશ શરૂ કરી છે. રસ્તા પર રખડતા ઢોરને લીધે અકસ્માતો થતા હોય તેમજ ઘાસચારો વેચનારાને લીધે ટ્રાફિકને અડચણ થતી હોવાને લીધે પોલીસે સાત દિવસમાં 166 કેસ કરતા પશુપાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ પર ઢોરના કારણે થતા અકસ્માત અટકાવવા માટે શહેર પોલીસે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે. જેમાં જાહેર રોડ પર ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે પગલાં લેવામા આવ્યા છે. શહેરમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરનારા સામે પોલીસે કાર્યવાહી કરી છે. એક અઠવાડિયામાં એટલે કે 7 દિવસમાં 116 કેસ નોંધ્યા છે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે શહેર પોલીસ પણ સફાળી જાગી છે. શહેરના રોડ રસ્તાઓ પર ઢોરના કારણે થતાં અકસ્માત અટકાવવા માટે શહેર પોલીસે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે. જેમાં જાહેર રોડ પર ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે પગલાં લેવામાં આવ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાતમાં નાના-મોટા શહેરોમાં લાંબા સમયથી રખડતા ઢોરની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. રખડતા પશુઓ દ્વારા અકસ્માતના બનાવો વધી રહ્યા છે. તેવામાં ગુજરાત હાઈકોર્ટે આ મામલાને ગંભીરતાથી લઈને સ્થાનિક તંત્રને ત્વરીત પગલાં લેવાનો આદેશ કરતા શહેરભરમાં ઢોર પકડતી પાર્ટી રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે 26મી ઓગસ્ટથી 10મી સપ્ટેમ્બર સુધી રખડતા ઢોરના માલીકો અને ઘાસચારો વેચનારા 116 જેટલા કેસ કર્યા છે. અને હજુ પણ સમયાંતરે રખડતા ઢોરના માલીકો સામે ફરિયાદો કરવામાં આવશે.

પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં આગામી 10મી સપ્ટેમ્બર સુધી જાહેર રોડ પર કે કોઈ પણ રીતે ટ્રાફિકની સમસ્યા સર્જાય અને ગાયો રોડ પર ભેગી થાત તેવા તમામ ઘાસચારાના વેચાણ કર્તાઓ સામે પગલાં લેવામાં આવશે. અમદાવાદના ઝોન 1 વિભાગમાં એક પણ કેસ આ પ્રકારનો કરવામાં ન આવતા આ વિસ્તારમાં ઘાસચારો જાહેરમાં ખરેખર નથી વેચાતો કે પોલીસને કોઈ ઘાસચારો વેચતા જોવા ન મળ્યુ તે સવાલ ઉભો થયો છે. જોકે તંત્રની કામગીરીથી માલધારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code