1. Home
  2. ગુજરાતી
  3. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય,રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને માહિતી આપી
પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય,રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને માહિતી આપી

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય,રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને માહિતી આપી

0
Social Share
  • પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય
  • રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને માહિતી આપી
  • સોનિયા ગાંધીએ તેમને પાર્ટીમાં જોડાવાનું આપ્યું હતું આમંત્રણ 

દિલ્હી: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે નહીં, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મંગળવારે ટ્વિટ કરીને માહિતી આપી છે.કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.કોંગ્રેસમાં પ્રશાંત કિશોરના સમાવેશને લઈને વિવાદ પહેલાથી જ દેખાતો હતો અને આજે તેના પરની અસમંજસનો અંત આવ્યો છે. જો કે, ભારતીય પોલિટિકલ એક્શન કમિટીએ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ સાથે કરેલું ગઠબંધન પણ બંને વચ્ચેની મંત્રણા તૂટવાનું મહત્ત્વનું કારણ માનવામાં આવે છે. સમાચાર મુજબ,પ્રશાંત કિશોરે પોતે કોંગ્રેસમાં નહીં જોડાવાની જાહેરાત કરી છે. જોકે, તેણે આ અંગે કોઈ તાત્કાલિક કારણ આપ્યું નથી.

અહેવાલો અનુસાર, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે એમ્પાવર્ડ એક્શન ગ્રૂપમાં જોડાવાની કોંગ્રેસની ઓફર ઠુકરાવી દીધી છે. આ કાર્યકારી જૂથની રચના 2024ની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય પડકારો પર ધ્યાન આપવા માટે કરવામાં આવી છે.સૂત્રોએ એવો સંકેત આપ્યો છે કે, પક્ષને પુનર્જીવિત કરવા માટે પાર્ટીએ તેમને સંપૂર્ણ સ્વતંત્રતા સાથે કામ કરવાની સ્વતંત્રતા આપી નથી.

રણદીપ સુરજેવાલાએ મંગળવારે ટ્વિટ કર્યું હતું કે પ્રશાંત કિશોરે પોતે કોંગ્રેસમાં જોડાવાનો ઇનકાર કર્યો છે.નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવા અને 2024 માટેના તેમના પ્રસ્તાવિત વિઝનને આગળ વધારવા માટે એક સમિતિની રચના કરી હતી. આ 13 સભ્યોની સમિતિએ પોતાનો રિપોર્ટ કોંગ્રેસ અધ્યક્ષને સોંપ્યો હતો.આ અંગે સોમવારે કોંગ્રેસના નેતાઓની બેઠક પણ યોજાઈ હતી.કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત ઘણા નેતાઓ પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં લાવવાના પક્ષમાં હતા,પરંતુ દિગ્વિજય સિંહ સહિત ઘણા નેતાઓએ આ અંગે પોતાની આશંકા વ્યક્ત કરી હતી.

સૂત્રોનું કહેવું છે કે,પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચેની વાતચીતમાં અનેક અવરોધો હતા,પરંતુ બે દિવસ પહેલા આઈપીએસી સાથે ટીઆરએસનો કરાર ફ્લેશ પોઈન્ટ બની ગયો હતો.પ્રશાંત કિશોર ઇચ્છતા હતા કે તેઓ સીધા કોંગ્રેસ નેતૃત્વને રિપોર્ટ કરે. પ્રશાંત કિશોરનું કહે છે કે તેને IPAC સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ આ સંસ્થામાં તેનો સ્પષ્ટ પ્રભાવ છે તે જાણીતું છે. તેલંગાણા સરકાર સાથે TRS અને IPAC વચ્ચેના જોડાણ પહેલા પ્રશાંત કિશોર બે દિવસ હૈદરાબાદમાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code