1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં પણ રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી, પ્રશાસનનો સુરક્ષાને લઈને જોરદાર બંદોબસ્ત
રાજકોટમાં પણ રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી, પ્રશાસનનો સુરક્ષાને લઈને જોરદાર બંદોબસ્ત

રાજકોટમાં પણ રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી, પ્રશાસનનો સુરક્ષાને લઈને જોરદાર બંદોબસ્ત

0
Social Share

રાજકોટ: હાલ ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે અત્યારથી જ રાજકોટ શહેરમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહત્વનું છે કે આ રથયાત્રામાં સામજિક અને રાજકીય ક્ષેત્રના અનેક મહાનુભાવો, પોલીસ કમિશનર તેમજ દેશભરમાંથી સાધુ સંતો જોડાશે.

રથયાત્રાની વાત કરીએ તો 30 જુનના રોજ સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવશે. રાત્રે 8 વાગ્યે નેત્રવિધી અને મામેરા દર્શન રાખવામાં આવશે જે પૂર્ણ થયા બાદ મહા પ્રસાદ પણ રાખવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે.

રથયાત્રાનો પ્રારંભ અષાઢી બીજ 1 જૂલાઇના રોજ સવારે 7:00 વાગે થશે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથજીની ધામધૂમથી રથયાત્રા કાઢવામાં આવશે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રાજકોટમાં હાલ જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.જગન્નાથ મંદિરના મહંતની આગેવાની હેઠળ આ વર્ષે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code