1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસી ભારતીય સમ્મેલનમાં આજે રાષ્ટ્રપતિ મુર્મુ 57 ભારતીય પ્રવાસીઓને પુરસ્કારથી સમ્માનિત કરશે
પ્રવાસી ભારતીય સમ્મેલનમાં આજે રાષ્ટ્રપતિ મુર્મુ 57 ભારતીય પ્રવાસીઓને પુરસ્કારથી સમ્માનિત કરશે

પ્રવાસી ભારતીય સમ્મેલનમાં આજે રાષ્ટ્રપતિ મુર્મુ 57 ભારતીય પ્રવાસીઓને પુરસ્કારથી સમ્માનિત કરશે

0
Social Share
  • 17મા પ્રવાસી ભારતીય દિવસ
  • રાષ્ટ્રપતિ મુર્મુ ભારતીય પ્રવાસીઓને કરશે પુરસ્કારથી સમ્માનિત

દિલ્હીઃ- પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસે 17મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ધાટન કર્યું હતું જે વિદેશી ભારતીયો સાથે જોડાવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. “સુરક્ષિત જાયેં, પ્રશિક્ષિત જાયેં” એક સ્મારક ટપાલ ટિકિટ સુરક્ષિત, કાનૂની, સુવ્યવસ્થિત અને કુશળ સ્થળાંતરના મહત્વને રેખાંકિત કરવા માટે બહાર પાડવામાં આવશે.

 પીએમ મોદીએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે કોરોના મહામારીના કારણે ચાર વર્ષ બાદ આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હું અહીં 130 કરોડ ભારતીયો વતી તમારું સ્વાગત કરું છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે વિશ્વમાં ભારતને આશા અને ઉત્સુકતા સાથે જોવામાં આવી રહ્યું છે. વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ સંભળાઈ રહ્યો છે.

ઈન્દોરમાં આયોજિત પ્રવાસી ભારતીય સંમેલનના છેલ્લા દિવસે મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 57 મહેમાનોને પ્રવાસી ભારતીયોને પુરસ્કાર એનાયત કરશે. ગયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલી અને સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખીને પણ આ સન્માન આપતી વખતે હાજરી આપશે. 

જાણકારી પ્રમાણે વર્તમાન પ્રવાસી ભારતીય સંમેલન ઉપરાંત, ગયા વર્ષે વર્ચ્યુઅલ રીતે યોજાયેલ પ્રવાસી ભારતીય સંમેલનનું પણ સન્માન કરવામાં આવશે.જાણકારી અનુસારવર્ષ 2021 માટે, 30 NRI અને સંસ્થાઓની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષે 27 NRI મહેમાનોની પસંદગી કરવામાં આવી છે.

આ સહીત ગયા વર્ષે, પ્રવાસી ભારતીય સંમેલન વર્ચ્યુઅલ રીતે યોજાયું હતું, જેના કારણે વિદેશી મહેમાનોનું વર્ચ્યુઅલ રીતે સન્માન કરવામાં આવ્યું હતું. જેના કારણે તેમને આજના આ કાર્યક્રમમાં સન્માનિત થવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code