1. Home
  2. ગુજરાતી
  3. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પૂણેની મુલાકાતે, મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાયન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પૂણેની મુલાકાતે, મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાયન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પૂણેની મુલાકાતે, મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાયન કરશે

0
Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠી માર્ચ 2022ના રોજ પુણેની મુલાકાત લેશે અને પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. સવારે લગભગ 11 વાગ્યે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિસરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા 1850 કિગ્રા ગન મેટલથી બનેલી છે અને લગભગ 9.5 ફૂટ ઊંચી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11:30 વાગ્યે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ પુણેમાં શહેરી ગતિશીલતા માટે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનો પ્રયાસ છે. 24મી ડિસેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુલ 32.2 કિમીના પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના 12 કિમીના પટનું ઉદ્ઘાટન કરશે. આ સમગ્ર પ્રોજેક્ટ કુલ રૂ. 11,400 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. બપોરે લગભગ 12 વાગ્યે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. તેઓ મુલા-મુથા નદીના પ્રોજેક્ટના કાયાકલ્પ અને પ્રદૂષણ નિવારણનો શિલાન્યાસ પણ કરશે. રૂ. 1080 કરોડ કરતાં વધુના પ્રોજેક્ટ ખર્ચે નદીના 9 કિમી પટમાં કાયાકલ્પ કરવામાં આવશે. તેમાં નદીના કિનારે સંરક્ષણ, ઇન્ટરસેપ્ટર ગટર નેટવર્ક, જાહેર સુવિધાઓ, બોટિંગ પ્રવૃત્તિ વગેરે જેવા કામો સામેલ હશે. મુલા-મુથા નદી પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટ રૂ. 1470 કરોડથી વધુના ખર્ચે “વન સિટી વન ઓપરેટર” ના ખ્યાલ પર અમલમાં મૂકવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ કુલ 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે, જેની સંયુક્ત ક્ષમતા લગભગ 400 MLD હશે. પ્રધાનમંત્રી બાનેરમાં બનેલ 100 ઈ-બસ અને ઈ-બસ ડેપોનું પણ લોકાર્પણ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code