1. Home
  2. ગુજરાતી
  3. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રોકાણકારો માટે RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ લોન્ચ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રોકાણકારો માટે RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ લોન્ચ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રોકાણકારો માટે RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ લોન્ચ કરશે

0
Social Share
  • હવે રોકાણકારો સરકારી સિક્યોરિટીઝમાં પૈસા રોકી શકશે
  • PM મોદી લોન્ચ કરશે નવી સ્કીમ

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રોકાણકારો માટે RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ લોન્ચ કરશે. તેનો હેતુ સરકારી સિક્યોરિટીઝમાં છૂટક ભાગીદારી વધારવાનો હશે. એક પરિપત્રમાં જણાવાયું છે કે,રિટેલ રોકાણકારો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે તેમના સરકારી સિક્યોરિટીઝ એકાઉન્ટ ખોલવા અને તેની દેખરેખ રાખી શકશે.

આરબીઆઈની રીટેલ ડાયરેક્ટ સુવિધાની જાહેરાત આ વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. રિટેલ રોકાણકારો માટે સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરવાનું સરળ બનાવવા માટે તેને રજૂ કરવામાં આવ્યું છે. આ તેમને ઓનલાઈન મોડ દ્વારા એક્સેસ આપીને કરવામાં આવશે. આમાં પ્રાથમિક અને ગૌણ સરકારી સુરક્ષા બજારો બંનેનો સમાવેશ થાય છે. આ સિવાય રોકાણકારોને RBI સાથે તેમનું ગિલ્ટ સિક્યોરિટીઝ એકાઉન્ટ ખોલવાની સુવિધા પણ મળશે.

સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સૌપ્રથમ ફેબ્રુઆરીની નાણાકીય સમીક્ષામાં આની જાહેરાત કરી હતી. તેમણે તેને મુખ્ય માળખાકીય સુધારણા ગણાવી. જુલાઈમાં, મધ્યસ્થ બેંકે કહ્યું હતું કે,રોકાણકારોને પ્રાથમિક હરાજીમાં બોલી લગાવનારને એક્સેસ મળશે. આ સાથે રોકાણકારો સરકારી સિક્યોરિટીઝ માટે સેન્ટ્રલ બેંકના ટ્રેડિંગ પ્લેટફોર્મમાં પણ કામ કરી શકે છે, જેને નેગોશિયેટેડ ડીલિંગ સિસ્ટમ-ઓર્ડર મેચિંગ સેગમેન્ટ અથવા NDS-OM કહેવાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code