Site icon Revoi.in

અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરવાના માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

Social Share

નવી દિલ્હી:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકર નવીન ઝાએ 2019 માં રાહુલ ગાંધી વિરુદ્ધ શાહ વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ કેસ દાખલ કર્યો હતો.

કેસની હકીકત અનુસાર, 2019 ની લોકસભા ચૂંટણી પહેલા ચાઈબાસામાં તેમના એક ભાષણ દરમિયાન, રાહુલ ગાંધીએ કથિત રીતે શાહ માટે ‘કિલર’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. રાહુલ ગાંધીની અપીલ પર, ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની ખંડપીઠે ઝારખંડ સરકાર અને ભાજપના નેતાને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો છે. રાહુલ ગાંધીએ ઝારખંડ હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે. નીચલી કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી રદ કરવાની તેમની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.