1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર-કંડકટરો સહિત 10 હજાર કર્મચારીઓની ઘટ
ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર-કંડકટરો સહિત 10 હજાર કર્મચારીઓની ઘટ

ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર-કંડકટરો સહિત 10 હજાર કર્મચારીઓની ઘટ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ગામેગામ પબ્લીક પરિવહન સેવામાં મહત્વનું સ્થાન ધરાવતી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી) યાને ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવરો-કંડક્ટરોથી લઈને 10 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. નિગમની લગભગ 7500 જેટલી એસટી બસો રોડ પર દોડી રહી છે. આ તમામ બસોના સુરક્ષિત સંચાલન માટે નિગમ પાસે પૂરતા કર્મચારીઓ પણ નથી. બસોના સંચાલન માટે જરૂરી ડ્રાઈવર, કંડક્ટર, ક્લાર્ક, હેલ્પર તેમ જ પટાવાળાની જ કુલ મંજૂર થયેલી 41 હજારથી વધુ જગ્યા સામે લગભગ 10 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. જ્યારે ક્લાર્કની લગભગ 63 ટકા જગ્યાઓ ખાલી છે. એજ રીતે બસોના મેન્ટેનન્સ માટે જરૂરી હેલ્પરોની સૌથી વધુ એટલે કે 77 ટકા જેટલી ઘટ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એસટી નિગમની બસોમાં મુસાફરી કરતા પેસેન્જરોને આકર્ષવા નિગમ દ્વારા ‘સલામત સવારી એસટી અમારી’નો નારો આપવામાં આવ્યો છે. નિગમની લગભગ 7500 જેટલી બસો રોડ પર દોડી રહી છે. આ તમામ બસોના સુરક્ષિત સંચાલન માટે નિગમ પાસે પૂરતા કર્મચારીઓ પણ નથી. બસોના સંચાલન માટે જરૂરી ડ્રાઈવર, કંડક્ટર, ક્લાર્ક, હેલ્પર તેમ જ પટાવાળાની જ કુલ મંજૂર થયેલી 41 હજારથી વધુ જગ્યા સામે લગભગ 10 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. જ્યારે ક્લાર્કની લગભગ 63 ટકા જગ્યાઓ ખાલી છે. એજ રીતે બસોના મેન્ટેનન્સ માટે જરૂરી હેલ્પરોની સૌથી વધુ એટલે કે 77 ટકા જેટલી ઘટ છે. આ પરિસ્થિતિમાં બસોનું સુરક્ષિત સંચાલન કેવી રીતે થાય તે મોટો પ્રશ્ન છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, એસટી નિગમ દ્વારા હાલ 7200 જેટલા શિડ્યુલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેના માટે 7500 જેટલી બસો રોડ પર મૂકવામાં આવી છે. આ તમામ બસોના સુરક્ષિત સંચાલન માટે નિયમિત રિપેરિંગ અને મેન્ટેનન્સ જરૂરી છે. આ કામગીરી કરતા હેલ્પરોની કુલ 5177 જગ્યા મંજૂર થયેલી છે, જેની સામે હાલ ફક્ત 1206 હેલ્પરો જ ફરજ બજાવી રહ્યા છે એટલે કે 3971 જગ્યાઓ ખાલી છે. એ જ રીતે વહીવટી કામગીરીની સાથે બુકિંગ માટે જરૂરી ક્લાર્કની કુલ 2660 જગ્યા સામે ફક્ત 995 ક્લાર્ક ફરજ બજાવી રહ્યા છે. આવી જ સ્થિતિ ડ્રાઈવર કંડક્ટરોની છે જેમાં ડ્રાઈવરની 13 ટકા એટલે કે 2051 જગ્યા તેમજ કંડક્ટરની 12 ટકા એટલે કે 1899 જગ્યા ખાલી છે. જ્યારે પટાવાળાની 60 ટકા એટલે કે 279 જગ્યાઓ ખાલી છે. વધુમાં દર મહિને નિગમમાંથી 40થી 50 લોકો નિવૃત્ત થતા ખાલી પડતી જગ્યાની સંખ્યા વધી જ રહી છે. તેની સામે સરકાર દ્વારા નવી ભરતી કરવામાં આવતી નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એસટી નિગમમાં ક્લાર્કની કુલ 2660 જેટલી જગ્યાઓ મંજૂર થયેલી છે જેની સામે હાલ ફક્ત 995 કર્મચારીઓ જ ફરજ બજાવી રહ્યા છે અને 1665 જગ્યાઓ ખાલી છે. આવી પરિસ્થિતિમાં નિગમ દ્વારા અમદાવાદના ગીતામંદિર, રાણીપ, નહેરૂનગર બસ સ્ટેન્ડ સહિત લગભગ તમામ મુખ્ય બસ સ્ટેશનો પર એડવાન્સ બુકિંગ તેમજ રેગ્યુલર બુકિંગ માટે, પાસ કાઢવા માટે, પૂછપરછ કેન્દ્ર પર ડ્રાઈવર – કંડક્ટરોને ફરજ પર મુકવામાં આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ડ્રાઈવર કંડક્ટરોની ઘટ વધી જાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code