દેશમાં કોરોનામાં રાહત- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 9 હજારથી પણ ઓછા કેસ, સક્રિય કેસો 96 હજારથી પણ ઓછા
- કોરોનામાં રાહતના સમાચાર
- 24 કલાકમાં 8,586 નવા કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં રાહતના સમાચાર આવી રહ્યા છે છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસ 10 હજારની અંદર નોંધાઈ રહ્યા છે ત્યારે ફરી એક વખત છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસની સંખ્યા 9 હજારથી પણ ઓછી જોવા મળી છે.આ સાથે જ સાજા થનારા દર્દીઓ પણ વધતા જઈ સહ્યા છે જેને લઈને સક્રિ.ય કેસો પણ ઘટતા જોવા મળે છે.
જો દેશભમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કોરોનાના કુલ 8 હજાર 856 નવા કેસો સામે આવ્યા છે.. તે જ સમયે, હવે આ નવા આંકડાઓ પછી, દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા વધીને 96 હજાર 506 થઈ ગઈ છે.
જો કે બીજી તરફ ઝડપથી વધી રહેલા રિકવરી રેટથી કોરોનાના કેસો ઘટી પ ણરહ્યા છે. લોકો હજુ પણ દરરોજ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ બહુ ઓછા દર્દીઓમાં ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે.કોરોનાથી સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો સમાન સમયગાળા દરમિયાન કુલ 9 હજાર 680 લોકો કોરોનાથી સાજા થયા છે.
આ સાથે જ દેશમાં હવે સક્રિય કેસો પણ ઘટતા જોવા મળી રહ્યા છે,જો દેશમાં એક્ટિવ કેસ પર એક નજર કરીએ તો સક્રિય કેસોની સંખ્યા 96 હજાર 506 જોવા મળે છે. રસીકરણની વાત કરીએ તો દેશમાં આ આંકડો ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 29 લાખ 25 હજાર 342 લોકોએ રસીકરણ કર્યું છે જ્યારે રસીકરણની કુલ સંખ્યા 210 કરોડ 31 લાખ 65 હજાર 703 થઈ ગઈ છે.