1. Home
  2. ગુજરાતી
  3. મુંદ્રાના અદાણી પોર્ટથી વાડીનાર સુધી ઓગસ્ટથી રો રો ફેરી સર્વિસ શરૂ થવાની શક્યતા
મુંદ્રાના અદાણી પોર્ટથી વાડીનાર સુધી ઓગસ્ટથી રો રો ફેરી સર્વિસ શરૂ થવાની શક્યતા

મુંદ્રાના અદાણી પોર્ટથી વાડીનાર સુધી ઓગસ્ટથી રો રો ફેરી સર્વિસ શરૂ થવાની શક્યતા

0
Social Share

અમદાવાદઃ  ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ મુન્દ્રાથી વાડીનાર સુધીની રો-રો ફેરી સર્વિસ આવતા મહિનાથી શરુ થઈ જશે.  ગુજરાતની બીજી રો-રો ફેરી સર્વિસ હશે. 53 કિલોમીટર લાંબા દરિયાઈ માર્ગની આ સર્વિસ શરુ થવાને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગો, જામનગરના બ્રાસ ઉદ્યોગો તેમજ રાજકોટના ઉદ્યોગોને ઘણો લાભ થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત આ કાર્ગો વેસલને સર્વિસ શરુ કરવા માટે મોટાભાગની માન્યતાઓ મળી ચુકી છે. વાડીનારની માલિકી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ પાસે છે. એક મહિના પહેલા બોર્ડ મીટિંગમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો કે અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડને રો-રો જેટીનો ઉયોગ કરવાની મંજૂરી આપવામાં આવે.  અદાણી એક ખાનગી ફેરી ઓપરેટર સાથે મળીને કાર્ગો વેસલનું સંચાલન કરશે. ડીપીટીના સૂત્રોએ જણાવ્યું કે, અમને તમામ માન્યતાઓ આપવામાં આવી છે અને સંચાલનની મંજૂરી પણ પ્રાપ્ત કરવામાં આવી છે. મુન્દ્રા અને વાડીનાર બન્ને પાસે કાર્ગો જેટી છે. આ મહિનાના અંત સુધીમાં અથવા તો આવતા મહિનાની શરુઆતમાં આ સર્વિસની શરુઆત થઈ જશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ડિરેક્ટરેટ જનરલ ઓફ શિપિંગ તરફથી એક માન્યતા પ્રાપ્ત કરવાની બાકી છે, જે આગામી 10 દિવસમાં મળી શકી છે. આ રો-રો વેસલમાં 24 ટ્રકને લઈ જવાની ક્ષમતા હશે. સિરામિક, એન્જિનિયરિંગ, બ્રાસ, કેમિકલ અને ડિટર્જન્ટના એક્સપોર્ટ કાર્ગોને આ સર્વિસથી ઘણો લાભ થશે. એક અંદાજા પ્રમાણે મુન્દ્રા, મોરબી, રાજકોટ અને જામનગરથી દરરોજ લગભગ 500 જેટલી ટ્રક અવરજવર કરે છે. મુન્દ્રાથી જામનગર પહોંચવા 270 કિમી મુસાફરી કરવી પડે છે, પરંતુ જો રો-રો સર્વિસનો ઉપયોગ કરવામાં આવશે તો 53 કિમી મુસાફરી કરવી પડશે. રો-રો સર્વિસને કારણે રોડ પરનો ટ્રાફિક પણ ઓછો થશે તેમજ વાહનોને કારણે થતા પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સંચાલકીય સમિતીના સભ્ય આશિષ જોશી જણાવ્યુ હતું કે, આ સર્વિસને કારણે ખર્ચમાં શું વધ-ઘટ થશે તેની અમને હજી જાણ નથી. મોરબી કેન્દ્રમાં છે, અને તેઓ કાર્ગોને રોડ માર્ગથી લઈ જવાનું પસંદ કરે કારણકે વાડીનાર અને મોરબી વચ્ચેનું અંતર 150 કિમી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code