1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. RSSના વડા મોહન ભાગવત બે દિવસીય સુરતની મુલાકાતે, ઔદ્યોગિક અને સામાજિક આગેવાનોને મળશે
RSSના વડા મોહન ભાગવત બે દિવસીય સુરતની મુલાકાતે, ઔદ્યોગિક અને સામાજિક આગેવાનોને મળશે

RSSના વડા મોહન ભાગવત બે દિવસીય સુરતની મુલાકાતે, ઔદ્યોગિક અને સામાજિક આગેવાનોને મળશે

0
Social Share

સુરતઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત ગુજરાતની ત્રણ દિવસ મુલાકાતે આવી પહોંચ્યા છે. સુરત રેલવે સ્ટેશન પર તેમનું સ્વાગત કરાયું. ભાગવતજી સુરતમાં બે દિવસ રોકાણ કરવાના છે. શહેરના અડાજણ ખાંતે આંબેડકર ભવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય ખાતે રોકાણ કરશે. આજે સવારે તેઓ ટ્રેન મારફત સુરત પહોંચ્યા હતા. બે દિવસ દરમિયાન તેઓ સુરત શહેરમાં વિવિધ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગકારોને મળશે. સાયન્સ સેન્ટર ખાતે આજે સાંજે તેઓ હિન્દુત્વ વિષય પર પ્રવચન આપશે.

મોહન ભાગવતના સુરત રોકાણ દરમિયાન સામાજિક અગ્રણીઓ ને વર્તમાન સમયના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા. સુરતના જાણીતા હીરા ઉદ્યોગકારો અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ તેઓ આરએસએસ કાર્યાલય ખાતે મીટિંગ કરશે. સાયન્સ સેન્ટર ખાતે આજે સાંજે તેઓ કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં કેટલાક સિલેક્ટેડ વ્યક્તિઓને જ આમંત્રિત કરાયા છે. મોહન ભાગવત અને મુલાકાતથી ભાજપ સંગઠન સક્રિય થઇ ગયું છે. મોહન ભાગવત જ્યારે પણ આ પ્રકારના પ્રવાસ કરે છે ત્યારે સ્થાનિક નગરની અંદર રાજકીય અને સામાજિક રીતે જે મહત્ત્વના મુદ્દા હોય છે એના પર તેઓ ચર્ચા કરતા હોય છે. ભાજપના સંગઠનના કેટલાક મહત્ત્વના હોદ્દેદારો પણ મોહન ભાગવત સાથે બેઠક કરે એવી શક્યતા છે. જોકે સત્તાવાર રીતે કોણ કોણ મોહન ભાગવતને મળવાના છે એ અંગેની કોઈ માહિતી આપવામાં આવી નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમજ ભાજપના પીઢ કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે. રાજકીય ગતિવિધિ અંગે પણ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી શકે છે. ભાજપના સંગઠનમાં પણ ચહલ-પહલ દેખાવાની શરૂ થઈ ગઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code