1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને આજે શનિવારે ડ્રાયફ્રુટનો અલૌકિક શણગાર કરાયો
સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને આજે શનિવારે  ડ્રાયફ્રુટનો અલૌકિક શણગાર કરાયો

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને આજે શનિવારે ડ્રાયફ્રુટનો અલૌકિક શણગાર કરાયો

0
Social Share

બોટાદઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ  અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર આજે શનિવારના રોજ ડ્રાયફ્રુટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન બનુમાનજી દાદાના દર્શન કરવા આજે ભાવિકો ઉમટી પડ્યા હતા.

 

સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા ખાતે ત્રણ દિવસ દરમિયાન જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે, મહંત વિષ્ણુપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી તેમજ પુજારી સ્વામી ધર્મકિશોરદાસજીની અથાગ મહેનતથી પવિત્ર યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ડ્રાયફ્રુટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.     જેમાં સવારે 5:30 કલાકે પુજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી.તેમજ સવારે 7 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.   હનુમાજી દાદાને ડ્રાયફ્રુટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો આમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દરરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે. દાદાને ડ્રાયફ્રુટના ભાવિકો રૂબરૂ દર્શન કરી ધાન્યતા અનુભવી હતી, તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજીદાદાના અલૌકિક શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code