1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દિવાળી બાદ સિંગતેલની નવી સીઝનનો પ્રારંભ, આ વખતે વધુ ભાવ ચૂકવવો પડે તેવી શક્યતા
દિવાળી બાદ સિંગતેલની નવી સીઝનનો પ્રારંભ, આ વખતે વધુ ભાવ ચૂકવવો પડે તેવી શક્યતા

દિવાળી બાદ સિંગતેલની નવી સીઝનનો પ્રારંભ, આ વખતે વધુ ભાવ ચૂકવવો પડે તેવી શક્યતા

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદન થવાની શક્યતા છે. કપાસ, મગફળી સહિતના પાકની આવક માર્કેટ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે. દિવાળી બાદ ઓઈલ મિલોમાં મગફળીના પીળાણના કાર્યનો પ્રારંભ થશે. જોકે કેટલીક ઓઈલ મિલોએ મગફળીનું પિલાણ શરૂ કરી દીધી છે. ઓઈલ મિલરોના કહેવા મુજબ આ વખતે મગફળીના ઊંચા ભાવ જોતા નવી સીઝનમાં સિંગતેલ સસ્તુ મળે તેમ લાગતું નથી. સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે, અને હાલ રજિસ્ટેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. પણ જોઈએ એવો રિસ્પોન્સ મળતો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના તળાજાનું સીંગતેલ શુદ્ધતા માટે રાજ્યભરમાં જાણીતું છે. તળાજા અને આસપાસના વિસ્તારોમાં દેશી ધાણી ધમધમે છે. આ પંથકની મગફળી નિકાસ માટે પ્રખ્યાત હોવાથી ખૂબ ડિમાન્ડ રહે છે. જેથી ચાલુ સીઝનમાં સીંગતેલના ડબ્બાનો ભાવ ઉંચા મથાળે રહેવાની શક્યતા સેવાઈ રહી છે. અત્યારે રૂ.2700નો ભાવ છે પણ બહુ સસ્તુ થાય એમ નથી. તળાજા માર્કેટયાર્ડમાં મગફળીની સીઝનની સૌથી વધુ આવક શુક્રવારે 3 હજાર ગુણી ઠલવાઈ હતી જ્યારે ભાવ રૂ.1200થી 1350 સુધી રહ્યા હતા. તળાજાની મગફળી ખરીદવા સૌરાષ્ટ્ર ઉપરાંત આંધ્રપ્રદેશ, કર્ણાટક સહિતના રાજ્યમાંથી વેપારીઓ આવતા હોય છે. અહીંની મગફળીની નિકાસ પણ કરવામાં આવે છે. જેથી આગામી સમયમાં મગફળીના ભાવ વધવાની શક્યતા છે. એના લીધે સીંગતેલ બહુ સસ્તુ થવું મુશ્કેલ છે.
સિંગદાણાના વેપારીના જણાવ્યા મુજબ સારી ગુણવત્તાના સીંગદાણા જુદા પાડી પ્રોસેસિંગ કરી વિદેશ મોકલવામાં આવે છે. જૂનાગઢ, કેશોદ, અમરેલી, રાજકોટ, કુવાડવા સહિતના વેપારીઓ જરૂરિયાત મુજબ મગફળી મગાવે છે. જેથી તળાજાના ખેડૂતોને પોષણતમ ભાવ મળી રહે છે. તળાજા પંથકમાં પ્રોસેસિંગ યુનિટો કાર્યરત કરવા માટેની સારી તકો રહેલી છે. જો અહીં જ દાણા પ્રોસેસિંગ કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચી શકે જેનો લાભ ખેડૂતોને મળી શકે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં વીસીઇ એટલે કે વિલેજ કૉમ્પ્યુટર એન્ટરપ્રિન્યોરની હડતાળને લીધે મગફળી સહિતના ખરીફ પાકોની ખરીદીનું કામકાજ મંદ પડી ગયું છે. પરિણામે ખેડૂતોની સંખ્યા પણ ખૂબ જ પાતળી નોંધાવા પામી છે. નોંધણીમાં વારંવાર વિક્ષેપ પડ્યો હોવાથી ચારેક લાખ ખેડૂતો થવા જોઇએ એની બદલે હજુ પચ્ચાસ હજાર ખેડૂતો માંડ નોંધાયા છે. અલબત્ત રાજ્ય સરકારે હવે નોંધણી એકધારી ચાલુ રાખી છે. સરકાર દ્વારા મગફળીની ખરીદી 29મીએ લાભપાંચમથી થવાની છે. એ પૂર્વે નોંધણી ચાલુ છે અને 13 ઓક્ટોબર સુધીમાં 50,592 ખેડૂતોના નામ નોંધવામાં આવ્યા છે. ગયા વર્ષ કરતા નોંધણી હાલ ઓછી છે અને હવે એમાં મોટો વધારો થાય એમ નથી. કારણ કે મગફળીનો ભાવ ટેકા કરતા ઊંચો ચાલે છે. સોયાબીન વેચવા માટે 2328 ખેડૂતોએ નોંધણી કરાવી છે, જ્યારે મગ વેચવા માટે 150 ખેડૂતો નોંધવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code