1. Home
  2. ગુજરાતી
  3. સોમનાથ ટ્રસ્ટે આજથી દિવ ટુર પેકેજની શરુઆત કરી – ખૂબ ઓછા ખર્ચમાં યાત્રીઓ અનેક સુવિધા અપાશે
સોમનાથ ટ્રસ્ટે આજથી દિવ ટુર પેકેજની શરુઆત કરી – ખૂબ ઓછા ખર્ચમાં યાત્રીઓ અનેક સુવિધા અપાશે

સોમનાથ ટ્રસ્ટે આજથી દિવ ટુર પેકેજની શરુઆત કરી – ખૂબ ઓછા ખર્ચમાં યાત્રીઓ અનેક સુવિધા અપાશે

0
Social Share
  • સોમનાથ ટ્રસ્ટે નવી સુવિધા શરુ કરી
  • દિવ ટૂરની આજથી શરુઆત કરી

ગીર-સોમનાથઃ – સોમનાથ કે જ્યા દેશ વિદેશના ખૂણે ખૂણેથી યાત્રીઓ દર્શન કરવા આવતા હોય છે, તો આ સાથે જ અહીં પ્રવાસે આવતા યાત્રીઓ દિવ જવાનું ક્યારેય ચૂકતા નથી, દિવમાં અનેક ફરવા લાયક સ્થળો છે, જ્યારે પણ કોઆ સોમનાથ આવે ત્યારે દિવ જવાનું અચૂક રાખે જ. ત્યારે હવે આવા પ્રવાસીઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્રારા એક ખુશાના સમાચાર પ્રાપ્ત થયા છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ સારી રીતે સહીસલામત યાત્રા કરી શકે તે હતુથી  દિવના સાઇટસીન મુલાકાત સહીત એક સમયની ભોજનની વ્યવસ્થા સાથે યાત્રીઓને  પરત સોમનાથ લાવી શકે તેવા પેકેજ ટૂરની ઘોષણા કરી છે.

ટ્રસ્ટ દ્રારા આ ટુર પેકેજમાં દિવના ગંગેશ્ર્વર મહાદેવ, નાગવા બીચ, માર્કેટ, ચર્ચ, મ્યુઝીયમ, ખુકરી કિલ્લો સહીતના તમામ સાઇટસીન યાત્રીઓને ફરાવવામાં આવશે.

આ પેકજમાં દિવ મુલાકાત દરમિયાન બપોરનું ભોજન પણ આપવામાં આવશે ત્યાર બાદ ફરીથી યાત્રીઓને સોમનાથ ડ્રોપ કરવામાં આવશે,આ પેકેજનો ચાર્જ  પ00 રુપિયા રાખવામાં આવ્યો છે.

આ ટૂરનો સમય સવારે 8 કલાકે સોમનાથથી રવાનો થવાનો રાખવામાં આવ્યો છે,બસમાં 23 યાત્રીઓની સુવિધા છે, આ સાથે જ સોમનાથ ટ્રસ્ટ  દ્રારા ફોન નંબર પણ જારી કરવામાં આવ્યો છે જેના પર ફોન કરીને બૂકિંગ કરાવી શકાય છે,

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code