1. Home
  2. ગુજરાતી
  3. IPL-2021: કોલકત્તાને ફાઈનલ નજીક પહોંચાડનાર સુનીલ નરેન માટે વેસ્ટ ઈન્ડીઝની ટીમે દરવાજા કર્યા બંધ, વિશ્વ કપ નહીં રમે
IPL-2021: કોલકત્તાને ફાઈનલ નજીક પહોંચાડનાર સુનીલ નરેન માટે વેસ્ટ ઈન્ડીઝની ટીમે દરવાજા કર્યા બંધ, વિશ્વ કપ નહીં રમે

IPL-2021: કોલકત્તાને ફાઈનલ નજીક પહોંચાડનાર સુનીલ નરેન માટે વેસ્ટ ઈન્ડીઝની ટીમે દરવાજા કર્યા બંધ, વિશ્વ કપ નહીં રમે

0
Social Share

જે મેચમાં RCB સામે ઓફ સ્પિન કરતા ​​મિસ્ટ્રી સ્પિનર ​​સુનિલ નરેને જે ટીમની જીતનો મુખ્ય હિરો હતો. તેણે શાનદાર બોલિંગ કરી, ચાર ઓવરમાં 21 રન આપ્યા અને ચાર વિકેટ પોતાના નામે કરી હતી. આ મેચમાં તેણે વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ પછી, તેણે તેના બેટથી પણ કર્યો હતો. આઈપીએલમાં તેણે કરેલું પ્રદર્શન જોઈને દરેક વ્યક્તિ તેને પોતાની ટીમમાં સામેલ કરવા ઈચ્છશે. પરંતુ ટી20 વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન કિરોયન પોલાર્ડ આ દિગ્ગજ સ્પિનરને પોતાની ટીમમાં નથી ઈચ્છતો. પોલાર્ડ IPL માં મુંબઈ ઇન્ડીયન્સ ટીમ તરફથી રમે છે. તેમની ટીમ આ વખતે પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નથી.

કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ લાંબા સમય બાદ આઇપીએલની ફાઇનલ રમવાની નજીક છે. IPL 2021 માં, તે બુધવારે ક્વોલિફાયર-2 માં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ જીતનાર ટીમ ફાઇનલમાં પહોંચશે અને તે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમશે.

પોલાર્ડ હાલમાં દુબઈમાં છે કારણ કે ટી ​20 વર્લ્ડ કપ UAE માં જ રમાવાનો છે. પોલાર્ડે મંગળવારે ટીમમાં નરેનનો સમાવેશ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે 15 સભ્યોની ટીમમાં કોઈ ફેરફાર નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code