1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના ASIએ વેપારી પાસે 15 લાખની લાંચ માગી, ASIનો ભાઈ 5 લાખ લેતા રંગેહાથ પકડાયો
સુરતના ASIએ વેપારી પાસે 15 લાખની લાંચ માગી, ASIનો ભાઈ 5 લાખ લેતા રંગેહાથ પકડાયો

સુરતના ASIએ વેપારી પાસે 15 લાખની લાંચ માગી, ASIનો ભાઈ 5 લાખ લેતા રંગેહાથ પકડાયો

0
Social Share

સુરતઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. મહેસુલ અને પોલીસના કર્મચારીઓ લાંચ લેતા વધુ પકડાતા હોય છે. ત્યારે સુરતમાં ઈકો સેલમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરએ છેતરપિંડીના કેસમાં વેપારી પાસેથી રૂપિયા 15 લાખની લાંચ માગી હતી. જે પૈકી પાંચ લાખની લાંચની રકમ લેવા માટે એએસઆઈએ તેના ભાઈને વેપારી પાસે મોકલ્યો હતો, અને એએસઆઈ સાગર પ્રધાનનો ભાઈ રૂપિયા 5 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ પકડી પાડ્યો હતો.

આ કેસની વિગતો એવી હતી કે, મુંબઈના વેપારી સાથે 1.84 કરોડની છેતરપિંડીના કેસમાં સુરત ઈકો સેલની પોલીસ વેપારીના ભાગીદારને પકડી લાવી હતી. તેની ઓફિસમાંથી કબજે કરેલો સામાન તેને પરત આપવા ઈકો સેલના એએસઆઈ સાગર પ્રધાને 15 લાખ રૂપિયા લાંચની માગણી કરી હતી. એ પૈકી પાંચ લાખ રૂપિયા આપવાનું કહેતાં વેપારીએ એન્ટિકરપ્શનને જાણ કરી દીધી હતી. કતારગામ ખાતે એએસઆઈના ભાઈને આ લાંચની રકમ લેતાં એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. જોકે એએસઆઈ સાગર ભાગી છૂટ્યો હતો.

એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઈના લોઅર પરેલમાં પ્રીઝમ એન્ટરપ્રાઈઝ કંપનીના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર રોમિલ સંઘવીએ સુરતના કતારગામના વસ્તાદેવડી રોડ પર મુખી એમ્પાયરમાં આવેલા અપેક્ષા જ્વેલર્સના નામે બિઝનેસ કરતા ગૌતમ વાઘનાએ સસ્તી મજૂરી લઇ સોનામાંથી દાગીના ઘડી આપવાનું કહ્યું હતું. કુલ 1.84 કરોડ રૂપિયાની મતાનું 3 કિલો સોનું જોબવર્ક માટે લઈ જઈ દાગીના કે સોનું પરત આપ્યું ન હતું તેમજ છેતરપિંડી કરી નાસી ગયો હતો, જેની ફરિયાદ મહારાષ્ટ્ર એન.એમ.જોષી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેની બાતમી ઈકો સેલના એએસઆઈ સાગર એસ.પ્રધાનને મળતાં તેમની ટીમ સાથે મળી મહારાષ્ટ્રના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ગૌતમ શિવદાસ દામોદર વાઘ (ઉં.વ.32) (રહે., ભવ્યરાજ રેસિડેન્સી, પાલ)ની ધરપકડ કરી હતી. આ ગુનામાં ઈકો સેલ દ્વારા ગૌતમભાઈના મુંબઈના ભાગીદારની પણ ધરપકડ કરાઈ હતી. એએસઆઈ સાગર પ્રધાને તેમના ભાગીદારની ધરપકડ કરી બાદમાં તેમની ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર, કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ કબજે લીધાં હતાં. ત્યારબાદ વેપારીને છોડાવવા તથા તેની ઓફિસમાંથી લઈ આવેલો માલ-સામાન પરત આપવાના અવેજ પેટે 15 લાખ રૂપિયાની લાંચ માગી હતી. વેપારી લાંચ આપવા માગતો નહોતો. એએસઆઈએ 15 લાખ પૈકી 5 લાખ આપવાનું કહેતાં વેપારીએ તૈયારી બતાવી હતી, પરંતુ લાંચની રકમ નહીં આપવા માગતા વેપારીએ એન્ટિકરપ્શન બ્યૂરોને જાણ કરી હતી.

સાગર પ્રધાને લાંચની રકમ લેવા માટે તેના ભાઈ ઉત્સવ સંજયભાઈ પ્રધાનને કતારગામ ખાતે અલકાપુરી સર્કલ બ્રિજ નીચે આવેલી દુકાનની સામે મોકલ્યો હતો, જ્યાં એસીબીએ 5 લાખની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડ્યો હતો. જોકે એએસઆઈ સાગર ભાગી ગયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code