1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતઃ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે વિવિધ ગણેશ પંડાલમાં શ્રીજીની પુજા કરી
સુરતઃ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે વિવિધ ગણેશ પંડાલમાં શ્રીજીની પુજા કરી

સુરતઃ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે વિવિધ ગણેશ પંડાલમાં શ્રીજીની પુજા કરી

0
Social Share

અમદાવાદઃ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે સુરતના ઓલપાલમાં આવેલા વિવિધ પંડાલોની મુલાકાત લીધી હતી. તેમજ પૂર્જા-અર્ચના કરીને દેશ અને રાજ્ય સતત વિકાસના પંથે અગ્રેસર રહે તેવી શ્રીજીને પ્રાર્થના કરી હતી.

કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ઓલપાડ તાલુકાના અશોકનગર, માછીવાડ, સાયણ તથા શહેરના મોટા વરાછા, સોનીફળિયા, ઉત્રાણ તથા કરંજ વિધાનસભાના વિવિધ ગણપતિ પંડાલોની મુલાકાત લઈ ગણપતિદાદા સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે ગણેશજીની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી દેશ અને રાજ્ય સતત વિકાસના પંથે અગ્રેસર રહે, નાગરિકોનું સ્વાસ્થ જળવાઈ રહે અને ગણેશજી તમામ નાગરિકોના કષ્ટ હરી સુખપ્રદ જીવન અર્પે તેવી પ્રાર્થના કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code