અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર: ત્રણ ટાઈમ થશે આરતી
અંબાજી, 18 એપ્રિલ 2026: વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા કુદરતી ફેરફારને ધ્યાનમાં રાખીને મંદિર વહીવટીતંત્ર દ્વારા નીજ મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવો સમયગાળો આગામી 19 એપ્રિલ અને સોમવાર એટલે કે અખાત્રીજથી અમલમાં આવશે. […]


