રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ મામલે ચર્ચા કરવાનો વિપક્ષને સ્મૃતિ ઈરાનીનો પડકાર
નવી દિલ્હીઃ મણિપુરના મુદ્દે સંસદમાં મડાગાંઠ સતત વધી રહી છે અને વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે, જેને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકારી લીધી છે. વિપક્ષ સતત મણિપુર મુદ્દે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યો છે અને હંગામો મચાવી રહ્યો છે. બુધવારે વિપક્ષના હંગામા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડક્યાં હતા […]