
જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા લંડનમાં Pok પર આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. વિધાનસભામાં બોલતા, ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર (POK) પાછું મેળવવાથી આપણને કોણ રોકી રહ્યું છે. ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરના પીઓકે પરના નિવેદન પર કહ્યું કે વિદેશ મંત્રીએ કહ્યું છે કે તેઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પાછું લાવશે, તો શું આપણે ક્યારેય તેમને રોક્યા છે? પણ જો તમે પીઓકે પાછું લાવવા માંગતા હો તો તેને પાછું લાવો. જ્યારે તમે જમ્મુ અને કાશ્મીરનો નકશો જુઓ છો, ત્યારે તેનો એક ભાગ પાકિસ્તાન સાથે છે, પણ બીજો ભાગ ચીન સાથે પણ છે, તો કોઈ આ વિશે કેમ વાત કરતું નથી.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં કહ્યું કે જો કેન્દ્ર સરકાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પાછું મેળવી શકે છે તો તેણે આજે જ તે કરવું જોઈએ. આ સાથે, તેમણે ચીન દ્વારા કબજે કરાયેલા ભાગનો પણ ઉલ્લેખ કર્યો, જે પાકિસ્તાને 1963 માં ચીનને સોંપી દીધો હતો. ઓમર અબ્દુલ્લા વિધાનસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદન પર બોલ્યા હતા. જ્યારે તેમણે કેન્દ્ર સરકારને આ અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે પાછલી સરકારો પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન પાસેથી કાશ્મીર પાછું લેવાની તક હતી, પરંતુ ભારત સરકારે તેમ ન કર્યું.