1. Home
  2. Tag "cm yogi"

સપાના સાંસદ અફઝલ અન્સારીએ સીએમ યોગીના કર્યાં વખાણ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં એનડીએનો વિજય થયો છે, તેમજ ભાજપાની બેઠકો ઘટીને 240 જેટલી થઈ છે. ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપાનું ભારે નુકશાન થયું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ભાજપાને જે બેઠકો મળી છે, તે મામલે સમાજવાદી પાર્ટીના નેતા અફઝલ અંસારીને સીએમ યોદી આદિત્યનાથની પ્રશંસા કરી છે. સપાના સાંસદ અફઝલ અન્સારીએ કહ્યું કે, યોગી આદિત્યનાથના ચહેરા, પ્રયાસો અને […]

લોકસભા ચૂંટણીઃ સાતમા તબક્કામાં CM યોગી અને ભગવંત માન સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે દિગ્ગજ નેતાઓ સહિત નાગરિકો પણ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા જે.પી.નડ્ડાએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મતદાન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં મતદાન કર્યું, તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમની પત્ની સાથે મંગવાલના એક ગામમાં મતદાન કર્યું હતું. […]

ગોરખપુરમાં મતદાન કર્યા બાદ સીએમ યોગીએ ભાજપની જીતનો દાવો કર્યો

ગોરખપુરઃ શનિવારે અહીં મતદાન કર્યા બાદ સીએમ યોગીએ પત્રકારોને કહ્યું કે, “દેશની જનતાના મજબૂત સમર્થન અને આશીર્વાદથી જ્યારે લોકસભા ચૂંટણીના વિવિધ તબક્કામાં મતદાનનો નિર્ણય 4 જૂને આવશે, ત્યારે ફરી એકવાર મોદી સરકાર આવશે. જંગી બહુમતી સાથે રચાશે. “જનતાએ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ […]

ઉત્તરપ્રદેશમાં ભાજપને સમર્થન કરતી મુસ્લિમ મહિલા અને તેના પરિવારજનો ઉપર હુમલો

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી પ્રભાવિત થઈને ભાજપના સમર્થન કરનાર મુસ્લિમ મહિલા કાર્યકર્તા અને તેમના પરિવાર સાથે મારા-મારીની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ ફરિયાદ અનુસાર, સબા નાજ નામની મહિલાનો દીકરો અને દીકરી ઘરની બહાર બેસીને સાંજના સમયે લોકસભા ચૂંટણી મામલે વાત […]

લોકસભા ચૂંટણીઃ રાજનાથસિંહે રોડ-શો યોજીને લખનૌ બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભર્યું

લખનૌઃ કેન્દ્રીય રક્ષામંત્રી અને ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહએ આજે લખનૌ બેઠક ઉપર પોતાની ઉમેદવારી દાખલ કરી છે. આ પહેલા તેમણે ભવ્ય રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જોડાયાં હતા. લખનૌ લોકસભા બેઠક ઉપર પાંચમાં તબક્કામાં 20મી મેના રોજ મતદાન યોજાશે. ઉમેદવારી દાખલ કરતા પહેલા રાજનાથ સિંહે દક્ષિણ મુખી હનુમાન મંદિરમાં પુજા-અર્ચના […]

ઉત્તરપ્રદેશના સીએમ યોગીની હત્યાની સોશિયલ મીડિયા મારફતે ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર યુવક શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ પ્રયાગરાજ પોલીસે FIR નોંધી છે અને તેની ધરપકડ માટે દરોડા પાડી રહી છે. વાયરલ વીડિયોના આધારે સામાજિક કાર્યકર્તા સર્વેશ કુમારે પ્રયાગરાજના ગંગાનગરના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 506 અને […]

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા હતા. આ અકસ્માતમાં બે ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા હતા, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ લખનૌ હાઈવે પર કુંડામાં હાથીગવાનની ફુલમતી પાસે વિંધ્યાચલ જઈ […]

ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની બસ ઉપર હાઈટેન્શન વાયર પડતા સર્જાઈ દૂર્ઘટના, 10ના મોતની આશંકા

લખનૌઃ ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. મરહદ વિસ્તારમાં મઉમાં જાનૈયાઓને લઈને પસાર થતી બસ ઉપર હાઈટેંશન વાયર પડ્યો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. હાઈટેંશન વાયર પડ્યાં બાદ બસમાં આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં દસ વ્યક્તિઓના મોત થયાં હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. તેમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કરંટને […]

ઉત્તરપ્રદેશમાં સીએમ યોગી સરકારનું વિસ્તરણ, ચાર નેતાઓએ મંત્રીપદના લીધા શપથ

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આજે વધુ ચાર ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યાં છે. આમ સીએમ યોગીના મંત્રીઓની સંખ્યા વધીને 22 થઈ છે. સીએમ યોગીના મંત્રીમંડળમાં સામેલ કરાયેલા ચારેય મંત્રીઓને હવે ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના નેતા ઓમ પ્રકાશ રાજભર, રાષ્ટ્રીય લોકદળના નેતા […]

ઉત્તરપ્રદેશમાં શ્રદ્ધાળુઓ ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકી, 20 વ્યક્તિના મોત 

લખનૌઃ યુપીના કાસગંજ જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પટિયાલી-દરિયાવગંજ રોડ પર શ્રદ્ધાળુઓથી ભરેલી એક ટ્રેક્ટર ટ્રોલીના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં તળાવમાં ખાબક્યું હતું. આ બનાવમાં ટ્રેક્ટર ટ્રોલીમાં સવારે અનેક શ્રદ્ધાળુઓ ડુબી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 શ્રદ્ધાળુઓના મોત થયાનું જાણવા મળે છે. મૃતકોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code