1. Home
  2. Tag "Gujarati literature"

જીવનઝરુખોઃ કાગા એની કાણ ઘર ઘર મંડાશે

ऐसी वाणी बोलिए, मनका आपा खोय औरनको शीतल करें,आपहुं शीतल होय. વાણી  ..ભાષા એટલે ઇશ્વરે માત્ર માનવીને આપેલું અણમોલ વરદાન..એ અણમોલ વરદાનનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ.. એના ઉપર આપણી સફળતાનો ઘણો આધાર રહેતો  હોય છે. જેણે જીભ જીતી એણે જગ જીત્યું.. મીઠા બોલા માનવી..કાગા એની કાણ ઘર ઘર મંડાશે.. એક રાજા હતો. યુદ્ધ દરમ્યાન […]

જીવનઝરુખો.. બારીની બહાર આપણને શું દેખાય છે?

જીવન એટલે વીતી ગયેલી ક્ષણો કે આવનારી ક્ષણો નહીં પણ આજની આ પળ..બસ..એથી વિશેષ કશું નહીં. કેમ કે આ પછીની ક્ષણની પણ આપણે ચોક્કસપણે આગાહી કરી શકતા નથી. આવનારી પળમાંથી શું અવતરશે એ કોઇ જાણી શકતું નથી. સમયની એક વામન ક્ષણમાં વિરાટ શક્યતાઓ સમાયેલી હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. પણ આપણી આ ક્ષણનો […]

જીવનઝરુખોઃ રેતી પર લખીશું કે પથ્થર પર?

ઇચ્છાઓ, અપેક્ષાઓ, નિરાશાઓ, વ્યથાઓ, એક શ્વાસની પૂતળીને ઘણી બેનપણી છે.  ભગવતીકુમાર  શર્મા જન્મથી મરણ સુધીની જીવનયાત્રામાં માનવીની  અનંત ઇચ્છાઓની આવનજાવન દરિયાના મોજાની જેમ એક પછી એક એક એમ સતત ચાલુ રહે છે. માનવીને જાણે એક જીવનમાં અનેક જીવન જેટલું જીવી લેવું છે, પેઢીઓ સુધી ચાલે એટલું કમાઇ લેવું છે. પૈસો, કીર્તિ, સત્તા પ્રેમ, અનેક અપેક્ષાઓ […]

જીવનઝરૂખો..  રસ્તો કરી જવાના..

“રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે  મૂંઝાઇ મનમાં, મરી જવાના!” ઘાયલ. કાળમીંઢ પથ્થરને તોડીને નાનકડું ઝરણું પણ ખળખળ વહીને પોતાનો રસ્તો કરી લે છે. તો કાળા માથાનો માનવી ધારે તો શું  ન કરી શકે? એની વિચાર શક્તિ કેવી અદભૂત છે. એક જાણીતું ઉદાહરણ જોઇએ. વર્ષો પહેલાંની વાત છે. એક રાજા  ધૂની અને […]

જીવનઝરૂખોઃ સંઘર્ષમાં ઝળહળતી જિંદગી..

Jeevan Jharukho જિંદગી દુઃખમાં વધુ ઝળહળતી લાગે છે  નદીમાં હોય છે પથ્થર, તો એ ખળખળતી લાગે છે. યેસ.. જીવન એટલે સુખ, દુ:ખ,ખુશી અને  પીડાનો સરવાળો.. જીવનમાં પરમ વિષાદની પળો આવે છે તો  ખુશીની છલકતી પળૉ પણ ગેરહાજર નથી જ રહેતી.  દુ:ખ  વિના સુખની કીમત જલદી સમજાતી નથી. રોજ ઘરમાં પ્રકાશ હોય, પંખા કે એસી. ચાલતા […]

જીવનઝરુખો.. નાનકડી ટોર્ચના અજવાળે..

દૂર માર્ગ જોવા લોભ લગીર ના, મારે એક ડગલું બસ થાય.. પ્રેમળ જ્યોતિ, તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ.. એક શિશુ પ્રથમ સ્વતંત્ર  પગલું ભરે છે પછી જીવનભર એની યાત્રા વણથંભી ચાલુ રહે છે. એક એક ડગલું ભરીને જ જીવનપથ કપાય છે. એક મુસાફર યાત્રાએ જવા નીકળ્યો. ચાલતા ચાલતા રાત પડી ગઇ. મુસાફર પાસે એક ફાનસ […]

પુસ્તકોની દુનિયાઃ મુક્તિ વૃત્તાંત –  બહુ ઓછી આત્મકથાઓમાં આવી હિંમત હોય છે

આત્મકથાઓ ઘણી વાંચી છે. ઘણી ગમી છે, તો કોઈક નથી ગમી એવું પણ બન્યું છે. આત્મકથા એટલે જીવનને પાછું વળીને કે દૂર ઊભા રહીને વિતેલા, વહી ગયેલા  સમયને પોતાના સંદર્ભમાં ફરી એકવાર વાગોળી જોવાનું જીવનકાર્ય. “સત્યના પ્રયોગો” ગાંધીજી લખી શકે. સામાન્ય માનવીનું એ ગજું, હિંમત નહિ. પોતાની જાતને તદ્દન નિવસ્ત્ર કરવી, યથાતથા  ઉઘાડી પાડવી એ […]

ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી વિભાગ, ગુજ.યુનિ. દ્વારા ‘શર્વિલક’ નાટકના ઉપક્રમે વ્યાખ્યાન યોજાયું.

અમદાવાદ: આજે ગુજરાતી વિભાગ, ભાષા – સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતી વિભાગ અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે સુધાબહેન દેસાઈ વ્યાખ્યાનમાળા આયોજિત થઈ હતી. જે અંતર્ગત જશવંત ઠાકર મેમોરિયલના સ્થાપક અને જાણીતા લેખક, નાટ્ય દિગ્દર્શક-નિર્માતા શ્રી અદિતિ દેસાઈએ રસિકલાલ પરીખના નાટક ‘શર્વિલક’ નાટક અને નાટક સ્વરૂપ વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code