રાજકોટમાં ભારે પવનને લીધે સિવિલ હોસ્પિટલમાં મંડપ તૂટી પડ્યો, પડધરીમાં વીજ પોલ ઘરાશાયી
અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું આજે રાત્રે 8 વાગ્યે પોરબંદર, વેરાવળના સાગરકાંઠે ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે બપોરથી જ ભારે પવન ફુંકાઈ રહ્યો છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ભારે પવનને કારણે મંડપ ઊડી ગયા હતા. પડધરી વિસ્તારમાં પણ ભારે પવનને કારણે અનેક વીજ પોલ ઘરાશાયી થયા હોવાના વાવડ મળ્યા છે. અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે. […]