1. Home
  2. Tag "investigation"

તમિલનાડુઃ પૂર્વ CM જયલલિતાના નિધન અંગે તપાસનો અહેવાલ પંચે સુપ્રત કર્યો

બેંગ્લોરઃ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતાના મૃત્યુ સાથે સંબંધિત તપાસનો અહેવાલ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને સોંપવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુની ન્યાયીક તપાસ માટે પૂર્વ ન્યાયમૂર્તિ અરુમુગાસ્વામીની આગેવાનીમાં સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તપાસ પૂર્ણ કરીને 590 પાનાનો અહેવાલ મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનને સીલબંધ કવરમાં સોંપ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ અનેક સવાલો ઉભા થયા હતા. […]

શિક્ષક ભરતી કૌભાંડઃ અર્પિતા મુખર્જીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ (એસએસસી કૌભાંડ)ની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની ટીમે તપાસનો ધમધમાટ તેજ બૂનાવ્યો છે. દરમિયાન, ED સૂત્રોએ જણાવ્યું છે કે, અર્પિતા મુખર્જીએ પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા કર્યા છે, તેના ઘરેથી જપ્ત કરવામાં આવેલા તમામ પૈસા પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના હોવાનો અર્પિતા મુખર્જીએ દાવો કર્યો હતો. તેમજ પાર્થના […]

લઠ્ઠાકાંડઃ રોજિદામાં મૃતકોની અંતિમયાત્રામાં સમગ્ર ગામ હિબકે ચડ્યું

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ પ્રકરણમાં 25થી વધારે વ્યક્તિઓના લઠ્ઠાકાંડમાં મૃત્યુ થવાનું જાણવા મળે છે. દરમિયાન રોજિદા ગામમાંથી મૃતકોની અંતિમ યાત્રા યોજાઈ હતી. એક સાથે મૃતકોની અંતિમ યાત્રા યોજાતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. […]

નુપુર શર્માની હત્યા કરવા આવેલા પાકિસ્તાની નાગરિકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હીઃ ભારતમાં ઘુસીને ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માની હત્યાના કાવતરાને અંજામ આપવા આવેલા પાકિસ્તાની કટ્ટરપંથી રિજવાન અશરફની સુરક્ષા એજન્સીઓએ આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયાં છે. નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ પાકિસ્તાનના મંડી બહાઉદ્દીન જિલ્લામાં એક પંચાયત બોલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકો સમક્ષ મૌલવીઓએ તકરીરો કરવામાં આવી […]

સાંગલીમાં એક જ પરિવારના 9 સભ્યોના મોતમાં ચોંકાવનારો ખુલાસો, તમામની હત્યા કરાયાનું ખુલ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સાંગલી જિલ્લામાં 20મી જૂનના રોજ 20 વ્યક્તિઓના મોતની ઘટનામાં ચોંકાવનારા ખુલાસો થયો છે. આ સમગ્ર ઘટના સામુહિક હત્યાકાંડની હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ સમગ્ર ઘટના સામુહિક આત્મહત્યાની મનાતી હતી જો કે, બે ભાઈઓના પરિવારને એક તાંત્રિક અને તેના ડ્રાઈવરે ઝેર આપીને માર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 20મી જૂન મ્હૈસલ ગામમાં […]

દેવભૂમિદ્વારકાઃ 6 વર્ષ પહેલા બંધ થયેલી રૂ. 500ના દરની રૂ. 6 લાખોની નોટો સાથે 2ની ધરપકડ

અમદાવાદઃ દેશમાં નવેમ્બર 2016માં રૂ. 500 અને 1000ના દરની નોટો બંધ કરવામાં આવી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી જે તે વખતે પોલીસ દ્વારા કરોડોની જૂની નોટો ખોટી રીતે વટાવા જતા ઝડપી લેવામાં આવી હતી. પરંતુ હજુ પણ કેટલાક લોકો પાસે પણ જૂની નોટ હોવાનું સામે આવ્યું છે. દેવભૂમિદ્વારકા જિલ્લામાંથી રૂ. 5.96 લાખની બંધ થઈ ગયેલી રૂ. […]

સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની સિંહ સાથેની સેલ્ફી વાયરલ થતાં વન વિભાગે કર્યો તપાસનો આદેશ

અમરેલીઃ  જિલ્લાના સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતનો સિંહ સાથેનો સેલ્ફી વાયરલ થતા તેઓ વિવાદમાં સપડાયા છે. અને વન વિભાગે પણ તપાસના આદેશ આપ્યા છે. ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ગીરમાં ચાર સિંહો સામે ઊભા રહીને સેલ્ફી લીધી હતી. સેલ્ફી ખેંચાવીને તેઓએ વન વિભાગના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતું. કારણ કે ગીરમાં વસતા સિંહો સાથે સેલ્ફી લેવી એ વન […]

નવી દિલ્હીઃ વિકલાંગ બાળકને ફ્લાઈટમાં ન બેસાડવા મુદ્દે સરકારે નારાજગી વ્યક્ત કરી, તપાસના આદેશ

નવી દિલ્હીઃ ખાનગી એરલાઈનના કર્મચારીઓએ રાંચી એરપોર્ટ પર એક વિકલાંગ બાળકને પ્લેનમાં બેસતા અટકાવ્યો હતો. એરલાઈન્સએ બચાવ કરતા કહ્યું હતું કે, બાળક પ્લેનમાં મુસાફરી કરતા નર્વસ હતો. આ ઘટના સામે આવ્યા બાદ એવિએશન રેગ્યુલેટર DGCAએ આ મામલે તપાસ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે ગંભીર નોંધ લીધી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય […]

જહાંગીરપુરી હિંસાઃ મુખ્ય આરોપીની મિલકત અંગે ઈડી કરશે તપાસ

નવી દિલ્હીઃ હનુમાન જ્યંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન જહાંગીરપુરીમાં તોફાનીઓએ પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ ગોળીબાર પણ કર્યો હતો. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ તપાસ કરી રહી છે. હવે સમગ્ર પ્રકરણમાં તપાસમાં ઈડી પણ જોડાઈ છે. મુખ્ય આરોપી અંસારની મિલકતને લઈને ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સુરક્ષાને […]

પશ્ચિમ બંગાળમાં હિંસા કેસની તપાસ સીબીઆઈ કરશે, હાઈકોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ કલકત્તા હાઈકોર્ટે શુક્રવારે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં થયેલી હિંસાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. 21 માર્ચની રાત્રે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના બોગતુઈ ગામમાં હિંસા અને આગચંપી થઈ હતી. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા ઉપપ્રમુખ ભાદુ શેખની હત્યા બાદ કેટલાક અરાજક તત્વોએ બોગાતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોને આગ ચાંપી દીધી હતી, જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code