1. Home
  2. Tag "Natural agriculture"

ગુજરાતમાં પોણા નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયાં: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે શ્રી મોટકા કડવા પાટીદાર હનુમાનજી મંદિરના દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં રામાયણ અને મહાભારત બે મહત્વપૂર્ણ ઇતિહાસ છે. ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન અને શાસન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે […]

ગુજરાતના સ્થાપના દિન 1લી મેથી ગ્રામીણ કક્ષાએથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહા અભિયાનનો પ્રારંભ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ખેડુતો વધુ ખેત ઉત્પાદન મેળવવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય છે. વધુ પડતા રાસાયણિક ખાતર અને દવાઓને લીધે ખેતીની જમીન બંજર જેવી બનતી જાય છે. તેમજ રાસાયણિક ખાતરથી પકવેલા અનાજને લીધે લોકોના આરોગ્યને પણ નુકશાન થાય છે. આથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટેનું અભિયાન આદરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે ‘મિશન મૉડ’ પર […]

પ્રાકૃતિક કૃષિ એ ધાર્મિક ભાવ નહી, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે : રાજ્યપાલ

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરીકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી, પરંતુ  શુદ્ધ વિજ્ઞાન છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યપાલજીએ ઉમેર્યું કે, ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી […]

પ્રાકૃતિક કૃષિથી નવી ક્રાંતિ સર્જવા ગુજરાતના ખેડૂતો દેશભરને પ્રેરણા પૂરી પાડશે: રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અને આત્મા પરિયોજના દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, ખેતી અને ખેડૂતની સમૃઘ્ઘિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી આવશ્યક છે. ખેડૂત અને કૃષિને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ લાભદાયી છે. રાજયપાલજીએ જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિની […]

રાજ્યમાં રાસાયણિક ખેતીના સ્થાને હવે પ્રાકૃતિક કૃષિનો વિકલ્પ ખેડુતોએ અપનાવવો જોઈએઃ મુખ્યમંત્રી

સુરતઃ જિલ્લાના ખેડુતો રસાયણિક આધારિત ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાતના રાજ્યલાલ અને મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના કેટલાક ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં. જેમને પ્રાકૃતિક […]

ખેડૂત અને ખેતીની આત્મનિર્ભરતા માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય: રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ખેડૂત અને ખેતીની આત્મનિર્ભરતા આવશ્યક છે અને એ માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે. આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે જૂનાગઢ ખાતે યોજાયેલી ખેડૂતોની કાર્યશાળાને સંબોધતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ […]

પ્રાકૃતિક કૃષિ ઉપરના સંશોધનો અને નવી ટેકનોલોજીના આવિષ્કારથી કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી શકાશેઃ રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતના નીતિ આયોગ દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉપર યોજાયેલાં નોલેજ શેરીગ વર્કશોપના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિ ઉપરના સંશોધનો અને નવી ટેકનોલોજીના આવિષ્કારથી કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી શકાશે. રાજ્યપાલએ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિ એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. રાસાયણિક ખાતરો કે જંતુનાશકોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code