1. Home
  2. Tag "Policy"

સરકાર ગ્રાહકોને નકલી હીરાથી બચાવવા નીતિ લાવી રહી છે, સોનાની તર્જ પર પ્રમાણપત્ર આપવાનો પ્રયાસ

સરકાર નકલી હીરાથી ગ્રાહકોને બચાવવા માટે ટૂંક સમયમાં પોલિસી લાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રમાણપત્રના સ્વરૂપમાં હોઈ શકે છે, જેમ કે સોના પરના હોલમાર્ક, જે કંપનીઓ હીરા ખરીદતી વખતે ગ્રાહકોને આપશે. જો કે, તે અન્ય સ્વરૂપમાં પણ લાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલામાં સતત ફરિયાદો મળી રહી છે. આ પછી આ પોલિસી […]

માલદીવ એ ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિની મજબૂત અભિવ્યક્તિ : ડો. એસ. જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી જયશંકરે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, માલદીવ ભારતની ‘પડોશી પ્રથમ’ નીતિની ‘મજબૂત અભિવ્યક્તિ’ છે. તેમણે કહ્યું કે નવી દિલ્હી હંમેશા હિંદ મહાસાગર દ્વીપસમૂહની સાથે છે, ખાસ કરીને જ્યારે તેને પડકારજનક સમયમાં મદદની જરૂર […]

ત્રણ નવા ફોજદારી કાયદાએ દેશની અપરાધિક ન્યાય વ્યવસ્થાની નીતિને સજાલક્ષીમાંથી ન્યાયલક્ષીમાં પરિવર્તિત કરીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં 59મી ડીજીએસપી/આઇજીએસપી કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કર્યું હતું. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંમેલનના બીજા અને ત્રીજા દિવસની કાર્યવાહીની અધ્યક્ષતા કરશે. હાઇબ્રિડ ફોર્મેટમાં આયોજિત આ સંમેલનમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં ડીજીએસપી/આઇજીએસપી તથા સીએપીએફ/સીપીઓનાં વડાઓ રૂબરૂ તેમજ વર્ચ્યુઅલ રીતે તમામ રાજ્યોનાં વિવિધ રેન્કનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં […]

ભારતમાં જળ સંરક્ષણ એ એક નીતિ નહીં પરંતુ પ્રથા છેઃ નરેન્દ્ર મોદી

ગુજરાતમાં જળ સંયત જનભાગીદારી પહેલ શરૂ કરાઈ પીએમ મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયાં કાર્યક્રમમાં નવી દિલ્હીઃ વડાપ્રધાને ગુજરાતમાં જળ સંચય, જનભાગીદારી પહેલ શરૂ કરી છે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, ‘આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે, જે ગુજરાતની ધરતીથી શરૂ થઈ રહી છે. જલ શક્તિ મંત્રાલયે […]

ઓનલાઈન દવાના વેચાણ અંગે પોલીસી બનાવવા કેન્દ્ર સરકારને દિલ્હી હાઈકોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને 8 અઠવાડિયાની અંદર દવાઓના ઓનલાઈન વેચાણ અંગે નીતિ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મિની પુષ્કર્ણની ડિવિઝન બેન્ચે કહ્યું કે, આ મામલો પાંચ વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ છે. તેથી કેન્દ્ર સરકારને આ મામલે નીતિ લાવવાની છેલ્લી તક આપવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે, જો આ આદેશનું […]

અમદાવાદમાં રખડતા ઢોર પર નિયંત્રણ માટે AMCએ બનાવી પોલીસી, પરમિટ અને લાયસન્સ ફરજિયાત

અમદાવાદ:  ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ છે. જેમાં અમદાવાદમાં મ્યુનિ,કોર્પોરેશને રખડતા ઢોર સામે ઝૂંબેશ ચલાવ્યા બાદ હજુ પણ રોડ પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશને  રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી બનાવી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC એ નવી પોલીસી બનાવી છે. જેના કારણે હવે રખડતા ઢોર પર […]

ગુજરાતમાં સ્મોલ હાઈડલ અને વિન્ડ પાવર પોલિસીની મુદતમાં કરાયો 6 મહિનાનો વધારો

ગાંધીનગરઃ ગુજરાત સરકારના પ્રોત્સાહનને કારણે ખાનગી ક્ષેત્રમાં પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં ગુજરાત વીજ ઉત્પાદનમાં પ્રથમસ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા નદી, ઝરણા અને કેનાલો પર વહેતા પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટેના નાના પ્લાન્ટ નાંખવાની સ્મોલ હાઇડલ પોલિસી અને પવનચક્કીથી વીજળી ઉત્પન્ન કરવાની વિન્ડ પાવર પોલિસીની મુદ્દતમાં ફરી એકવાર 6 […]

ગુજરાતના સરકારી કર્મચારીની ખાતાકીય પરીક્ષા માટે અસરકારક પોલીસી બનાવાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ઘણાબધા કર્મચારીઓ બઢતીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ખાતાકીય પરીક્ષા લેવામાં ન આવતા કર્મચારીઓને પ્રમોશનથી વંચિત રહેવું પડે છે. આ અંગે કર્મચારીઓ તેમના વિભાગના અધિકારીઓને પણ રજુઆતો કરી હતી. દરમિયાન આ બાબત મુખ્યમંત્રીના ધ્યાન પર મુકાતા સરકારી અધિકારી- કર્મચારીઓને પ્રમોશન માટે લેવામાં આવતી ખાતાકીય પરીક્ષાઓના નિયમિત અને અસરકારક આયોજન માટે અલાયદી પોલીસી બનાવવા […]

ગુજરાતમાં ‘સીનેમેટિક ટુરિઝમ પોલિસી’ની જાહેરાત, ફિલ્મ સર્જનની નવી ક્ષિતિજોના દ્વાર ખૂલ્યાં

ગાંધીનગરઃ ગુજરાતની સૌ પ્રથમ ‘સીનેમેટિક ટુરિઝમ પોલિસી’નું લોન્ચિંગ મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે અભિનેતા અજય દેવગણ, રાજ્ય સરકારના મંત્રી  પુર્ણેશ મોદી અને અરવિંદ રૈયાણી  સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કર્યું  હતું. મુખ્યમંત્રીએ આ સિનેમેટીક ટુરીઝમ  પોલિસી ગુજરાતમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના  ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્યના મુખ્યમંત્રીએ ક્હ્યુંકે,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ […]

કોરોના સંકટઃ ભારતમાં 20 કરોડ લોકો માનસિક તણાવનો શિકાર બન્યાં, બીમારીને વીમા કંપનીઓએ પોલીસીમાં કરી કવર

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે. કોરોનાને પગલે વેપાર-ધંધાને વ્યપક અસર થઈ છે. તેમજ અનેક લોકોએ રોજગારી પણ ગુમાવી છે. આવી પરિસ્થિતિને કારણે અનેક લોકો માનસિક તણાવનો ભોગ બન્યાં છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં 20 કરોડ લોકો તણાવનો શિકાર બન્યાં છે. આવી સ્થિતિમાં માનસિક રોગોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code