1. Home
  2. Tag "Politics"

પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુનો માત્ર 9 દિવસમાં જ રાજનીતિથી મોહભંગ થયો, YSRCP રાજીનામું આપ્યું

બેંગ્લોરઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક બેસ્ટમેન અંબાતી રાયડુએ ક્રિકેટમાંથી રાજીનામું આપ્યા બાદ સામાજીક સેવાનો નિર્ણય લઈને તાજેતરમાં જ આંધ્રપ્રદેશની યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. જો કે, રાજકારણમાં પ્રવેશના માત્ર નવ દિવસમાં જ તેમનો રાજનીતિમાંથી ભોગ થયો છે અને રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપીને રાજકારણથી દુર જવાનો નિર્ણય લીધો છે. અંબાતી રાયડુએ ચોંકાવનારો નિર્ણય લઈને […]

કેનાડાની રાજનીતિમાં ખાલીસ્તાન સામેલઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડો.એસ જ્યશંકરે કેનેડા સાથેના સંબંધો મુદ્દે જણાવ્યું હતું કે, કેનેડાની રાજનીતિએ ખાલિસ્તાની તાકાતોને આશ્રય આપ્યો છે, એટલે કે ખાલિસ્તાન સીધી રીતે કેનેડાની રાજનીતિમાં સામેલ છે. આ જ કારણે બંને દેશો વચ્ચેના સંબંધ તંગ બન્યાં છે. આ પરિસ્થિતિ ભારત અને કેનેડા માટે ખતરા સમાન છે. આનાથી જેટલો ભારતને ખતરો છે […]

મહારાષ્ટ્રનું રાજકારણ,રાજીનામું પાછું ખેંચવા શરદ પવાર પર દબાણ

મુંબઈ :  થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતાઓ ધડાધડ રાજીનામાં પડ્યા બાદ હવે ફરીવાર રાજ્યનું રાજકારણ ગરમાયું છે, આ વખતે હવે નજારો એવો છે કે એનસીપીના નેતા શરદ પવારે રાજીનામું આપવાની જાહેરાત કરી છે અને હવે જાહેરાત કર્યાના એક દિવસ બાદ જિતેન્દ્ર આવ્હાડે પણ બુધવારે મહાસચિવપદેથી રાજીનામું આપ્યું. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ ઘણાં […]

અખિલેશ યાદવે RJD ના વડા લાલુ યાદવ સાથે કરી મુલાકાત, વિપક્ષી એકતાને લઈને ચર્ચા

લખનૌઃ દેશમાં વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન ભાજપને પરાસ્ત કરવા માટે રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ સહિતના નેતાઓ વિપક્ષને એક મંચ ઉપર લાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રાજદના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની મુલાકાત લીધી હતી. અખિલેશ યાદવે […]

આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનના રાજકારણમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી….

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારના પતન બાદ શહબાઝ શરીફ પીએમ બન્યાં હતા. હાલ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને પીએમ શરીફ મદદ માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યું છે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની રાજકીય પાર્ટી પીએમ શરીફ સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. હવે પાકિસ્તાનના રાજકારણમાં […]

શું છે ફ્રેન્ડશોરિંગ? શા માટે ચર્ચામાં છે આ મુદ્દો?

નવી દિલ્હી : તાજેતરમાં ભારત આવેલા અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને  ફ્રેન્ડશોરિંગ પર  ભાર  મૂક્યો છે. તેમણે ભારતને આ વ્યૂહરચના અપનાવવા જણાવ્યું છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન અને ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ભારત -અમેરિકા વિત્તીય ભાગીદારીની 9મી બેઠકનું નેતૃત્વ કરવામાં આવ્યું. જ્યાં બંને પક્ષો દ્વારા ભારતની અધ્યક્ષતામાં G-20માં થનારા જલવાયુ ખર્ચ, બહુપક્ષીય […]

મને ખબર હોત કે રાજકારણ આટલું ગંદું થઈ જશેઃ સીએમ મમતા બેનર્જી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા છે. દરમિયાન અભિષેક બેનર્જીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમને કોલસા કૌભાંડ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. સીએમ બેનર્જીએ એજન્સીઓના સમન્સને ‘ખુલ્લી હિંસા’ ગણાવી છે. તાજેતરમાં, તેમણે 2024ની ચૂંટણીને તેમની ‘છેલ્લી લડાઈ’ ગણાવી હતી. તેમજ કહ્યું કે, […]

દેશના વિવિધ રાજ્યોના લગભગ 200 જેટલા મંત્રીઓ ક્રિમિનલ કેસનો કરી રહ્યાં છે સામનો

નવી દિલ્હીઃ બિહારના કાનૂન મંત્રી કાર્તિકેય સિંહ ઉપર અપહરણનો આરોપ છે, તેમ છતા તેમને મંત્રી બનાવવામાં આવ્યા હોવાનો ભાજપાએ આક્ષેપ કર્યો છે. ભાજપના સાંસદ સુશીલ મોદીએ દાવો કર્યો હતો કે, જે દિવસે કાર્તિકેય સિંહને અદાલતમાં સરન્ડર કરવાનું હતું તે જ દિવસે તેમણે કાનૂન મંત્રી પદના શપથ લીધા હતા. જો કે, બિહારના આ મંત્રી ઉપર જ  […]

સત્તા જવાના ડરે સીએમ ઠાકરનું વલણ નરમ પડ્યું : શિંદે જૂથને કરી ભાવુક અપીલ

મુંબઈઃ સત્તા ઉપર સંકટ ઘેરાઈ રહ્યું છે તાજેતરમાં જ સીએમ ઠાકરેએ નારાજ ધારાસભ્યો પાસેથી મંત્રીમંડળ છીનવી લીધું હતું. તેમજ તેમની તરફ આકરુ વલણ અખ્યાર રહ્યું છે. એટલું જ નહીં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત પણ શિંદે જૂથ સામે આકરા પ્રહાર કરવાની સાથે ગર્ભીત ધમકીઓ પણ આપી રહ્યાં છે. મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા-નવા વળાંક આવે છે દરમિયાન […]

દિલ્હીથી પરત ફર્યા બાદ નરેશ પટેલે કહ્યું, ક્યાં પક્ષમાં જોડાવવું તેનો નિર્ણય 15મી મે સુધીમાં કરીશ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત-આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકારણમાં વિવિધ ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દિલ્હીમાં કેયલાક રાજકીય આગેવાનોને મળીને પરત આવી ગયા છે. દરમિયાન નરેશ પટેલે જણાવ્યું હતું કે, હું પ્રશાંત કિશોરને મળ્યો હતો, હાર્દિક પટેલ મારી પાસે આવ્યા હતા અને હું 15 મે સુધીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code