1. Home
  2. Tag "removed"

NCERT: ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સંબંધિત વિષયને દૂર કરવાનો નિર્ણય

નવી દિલ્હીઃ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધો. 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સાથે જોડાયેલ પાઠ્યસામગ્રીને હટાવી હોવાનું જાણવા મળે છે. અભ્યાસક્રમમાંથી ઈમરજન્સી સહિતના કેટલાક વિવાદીત સામગ્રી પણ પુસ્તકમાંથી દૂર કરવામાં આવ્યો છે. ગુજરાતના રમખાણોની સાથે-સાથે નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદને પણ પુસ્તકમાંથી હટાવી દેવાયો છે. NCERTએ જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય શિક્ષણ […]

UPમાં લાઉડસ્પીકર વિવાદના પડઘા પડ્યાઃ 125 ધાર્મિક સ્થળ ઉપર હટાવાયાં અને 17000 સ્થળ પર અવાજ ઓછો કરાયો

લખનૌઃ મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ઉપર જોર વાગતા લાઉડસ્પીકર મામલે વિવાદ ઉભો થયો હતો અને ધીમે ધીમે તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં સીએમ સરકારે લાઉડસ્પીકરને લઈને મહત્વના કેટલાક આદેશ કર્યાં છે અને ધાર્મિક પરિસરની બહાર લાઉડસ્પીકરનો અવાજ ના જાય તેની તકેદારી રાખવા ધાર્મિક આગેવાનો અને વહીવટી તંત્રને આદેશ કર્યાં છે. બીજી તરફ પોલીસ […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જવાહર મેદાનમાં બાકી રહેલા દબાણો પણ બુલડોઝર ફેરવી દેવાયું

ભાવનગરઃ શહેરના જવાહર મેદાનમાં દબાણો માથાના દુઃખાવારૂપ બન્યા હતા. કેટલાક દબાણકારોએ તો પોતાની માલીકીની જગ્યા હોય તેમ પાકા મકાનો પણ બનાવી દીધા હતા. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બે દિવસ પહેલા જ દબામો હવાવવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે લોકોના ભારે વિરોધ વચ્ચે કામગીરી મુલત્વી રાખીને બે દિવસમાં લોકોને દબાણો હટાવી લેવાની સુચના આપવામાં આવી હતી. બે […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ત્રણ મહિનામાં કરોડો રૂપિયાની કિંમતના 49 પ્લોટ્સ પરના દબાણો દુર કર્યા

અમદાવાદઃ શહેરમાં ભૂ માફિયાઓ ખાલી જમીન જોઈ નથીને કબજો કર્યો નથી. એટલે કે સરકારી હોય કે ખાનગી,  ખાલી જમીનમાં કબજો જમાવી દેવામાં આવતો હોય છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશનના ખાલી પ્લોટ્સ પર પણ કબજો જમાવી દેવામાં આવતો હોય છે. શહેરમાં થોડા સમય પહેલા મ્યુનિ.દ્વારા 1200 કરોડના પ્લોટ ખુલ્લા કરાવ્યા બાદ તાજેતરમાં છેલ્લા ત્રણ મહિનામાં જ 600 કરોડના […]

અમદાવાદમાં વટવા, જમાલપુર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયાં

અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓ પરના તેમજ મ્યુનિ.કોર્પોરેશનના પ્લોટ્સના દબાણો દુર કરવાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં મ્યુનિ.એસ્ટેટ-ટીડીઓ ખાતાએ વટવામાં મ્યુનિ. પ્લોટમાં બાંધી દેવાયેલાં 48 મકાનો સહિત 3 વોર્ડમાં ચાર જગ્યાએ ગેરકાયદે બાંધકામો દુર કર્યો હતો. શહેરના મ્યુનિ. એસ્ટેટ ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ શહેરના વટવાના નવાપુરા વિસ્તારમાં મ્યુનિ.નાં સેલ ફોર રેસિડન્સી હેતુ માટેનાં 5826  ચોરસ મીટરનાં […]

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર થયાને બે વર્ષ પૂર્ણઃ જાણો કેટલા થયા ફેરફાર

દિલ્હીઃ આજે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને દૂર કર્યાંને આજે બે વર્ષ પૂર્ણ થયાં છે. આજના દિવસે જ એટલે કે 5મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને દૂર કરવામાં આવ્યો હતો. કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજનની જાહેરાત કરી હતી. આજે આ ઐતિહાસિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code