કલમ 370 નાબૂદ થયા બાદ લોકોના જીવનમાં નોંધપાત્ર ફેરફારો આવ્યા છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 05 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કલમ 370 અને 35(A) નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માળખાગત સુવિધાઓનો વિસ્તાર થયો છે અને શિક્ષણ, આરોગ્યસંભાળ, ઉદ્યોગસાહસિકતા તથા રમતગમત જેવા ક્ષેત્રોમાં તકો વધી છે. […]


