1. Home
  2. Tag "TEACHER"

ઉત્તમ શૈક્ષણિક કાર્યમાં યોગદાન આપનારા શિક્ષકને કરાશે સન્માનિત

અમદાવાદઃ ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, શાળામાં શિક્ષણના નવીન પ્રયોગો તેમજ સામાજિક યોગદાન વગેરે પ્રવૃત્તિઓમાં સક્રિય હોય તેવા પ્રાથમિક શિક્ષક-મુખ્ય શિક્ષકને વધુ પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપી સન્માનિત કરાશે. આ સન્માન આગામી 15મી ઓગસ્ટ 2025ના રોજ આપવામાં આવશે. એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં જણાવ્યા મુજબ […]

અમરેલીમાં નરાધમ શિક્ષકે શાળામાં બે બાળકી પર દૂષ્કર્મ કર્યું

ચાલુ શાળાએ બે માસુમ બાળકીઓને દારૂ પીવડાવીને દુષ્કર્મ કરતા હોબાળો મચ્યો લંપટ શિક્ષકને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો શહેર-જિલ્લાની શાળાઓમાં અઠવાડિયામાં બે બનાવો બન્યા અમરેલીઃ જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનારી એક પછી એક ઘટના બની રહી છે. તાજેતરમાં  વંડામા બાળકો સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ અમરેલીમા નરાધમ શિક્ષકે ચાલુ શાળાએ દારૂના નશામા […]

બરેલીઃ નકલી દસ્તાવેજના આધારે 9 વર્ષથી શિક્ષિકા તરીકે નોકરી કરતી પાકિસ્તાની મહિલાનો પર્દાફાશ

લખનૌઃ બરેલીમાં બોગસ દસ્તાવેજના આધારે પાકિસ્તાની મહિલા શિક્ષિકા તરીકે નોકરી કરતી હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. મહિલા શિક્ષિકાએ બોગસ દસ્તાવેજના આધારે શિક્ષિકા તરીકે નોકરી હાંસલ કરી હતી. વર્ષ 2015થી શિક્ષિકા તરીકે નોકરી કરતી પાકિસ્તાની મહિલાના સ્થાનિક દસ્તાવેજ બોગસ હોવાનું ખૂલતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નવ વર્ષથી પાકિસ્તાની મહિલા બોગસ દસ્તાવેજના […]

ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક કે વકીલ થશો પરંતુ મનુષ્ય થવાનું ન ભૂલતા : આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાય યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 300થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. તેમણે આ અવસરે કહ્યું હતું કે, અત્યાર સુધી શિક્ષકો અને ગુરુજનોએ આપ સૌને શિક્ષિત કર્યા છે, પરંતુ દીક્ષિત કરવાનું કામ આજે કરવામાં આવી રહ્યું છે. આપ સૌ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત થશો, તમારામાંથી ઘણા  ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, વકીલ થશો. પરંતુ મનુષ્ય […]

ગુજરાતઃ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ, એક જ શિક્ષકવાળી 1606 પ્રાથમિક શાળાઓ

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પુરૂ પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક જ શિક્ષક વાળી 1606 પ્રાથમિક શાળાઓ છે,જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે. આજે વિધાનસભા ખાતે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રી ડિંડોરે ઉમેર્યું કે, […]

ઉત્તરપ્રદેશઃ વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં શિક્ષિકાએ કર્યો પોતાનો લૂલો બચાવ

લખનૌઃ ઉત્તરપ્રદેશની એક સ્કૂલમાં લઘુમતી કોમના વિદ્યાર્થીને ક્લાસરૂમની અંદર ટીચરે અન્ય વિદ્યાર્થીઓ મારફતે માર મરાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેથી પોલીસે શિક્ષિકા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, એટલું જ નહીં શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ઘર્મના નામે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને ઓવૈસી સહિતના નેતાઓએ […]

શિક્ષક Retired થઈ શકે પરંતુ Tired નહીં: શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ

અમદાવાદઃ રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન-IITEનો ૧૩મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્રની હરોળમાં સામેલ થવા સંકલ્પબદ્ધ છે. વિકાસશીલ દેશમાંથી વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે ચાણક્ય જેવા શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ બની […]

બિહાર કેબિનેટનો મોટો નિર્ણય,રાજ્યમાં શિક્ષક બનવા માટે સ્થાયી નિવાસી હોવું જરૂરી નથી

પટના : બિહાર કેબિનેટે આજે મંગળવારે એક મોટો નિર્ણય લીધો છે. બિહારમાં શિક્ષકોની નિમણૂક માટેના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મંગળવાર એટલે કે 27 જૂને મળેલી કેબિનેટની બેઠકમાં સુધારા કરતા કહેવામાં આવ્યું છે કે હવે શિક્ષક બનવા માટે બિહારનું સ્થાયી નિવાસી હોવું જરૂરી નથી. પહેલા બિહારમાં શિક્ષક બનવા માટે અહીંનું સ્થાનિક હોવું જરૂરી હતું. […]

ગુજરાતઃ 4 વર્ષથી વગર ફીએ ટ્રેનિંગ આપી 300થી વધુ યુવાનોને રોજગારી માટે તૈયાર કર્યા આ શિક્ષકે…

અમદાવાદઃ વિશ્વ અત્યંત સાહસિક લોકોથી ભરપૂર છે. જે લોકો પાક્કો ઈરાદો રાખે છે તે ક્યારેય નિષ્ફળ કે પાછા પડતા નથી અને આ સાહસિકો જે કાર્ય માટે નિકળે તેમનાં ઈરાદાઓ સંકલ્પથી પૂર્ણ કરે છે. પોલીસ, આર્મી, ડિફેન્સ જેવા સંરક્ષણ ક્ષેત્રમાં તેમજ સ્પોર્ટમાં કરિયર બનાવવા માંગતા હોય તેવા યુવાનોને અમદાવાદના સાહસવીર યુવકે નિઃશુલ્ક ટ્રેનિંગ આપવાનો ‘સુપર 30’ […]

વિદ્યાર્થીઓને અઘરા લાગતા ગણિત વિષયને ગીતોના માધ્યમથી સરળતાથી સમજાવતા જૂનાગઢના શિક્ષક

અમદાવાદઃ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગણિત- વિજ્ઞાન જેવા કહેવાતા અઘરાં વિષયથી દૂર ભાગતા હોય છે, પરંતુ જો તેને રોજબરોજના જીવન અને પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે તો તેને ખૂબ સરળ બનાવી શકાય છે. તેવું જ કંઈક કરવામાં સફળતા મેળવી છે શાપુર પે. સેન્ટર શાળાના શિક્ષક કૃણાલકુમાર મારવણીયાએ તે સાબિત કરી બતાનવ્યું છે. તેઓ  વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code