1. Home
  2. ગુજરાતી
  3. શ્રી રામનું નામ લો,હનુમાનજીની થશે પરમ કૃપા
શ્રી રામનું નામ લો,હનુમાનજીની થશે પરમ કૃપા

શ્રી રામનું નામ લો,હનુમાનજીની થશે પરમ કૃપા

0
Social Share
  • બોલો જય શ્રી રામ
  • શ્રીરામ નામથી થાય છે હનુમાનજીની કૃપા
  • ઈતિહાસમાં અનેક પુરાવા જોવા મળ્યા

જે જગ્યા પર શ્રી રામનું નામ હોય ત્યાં હનુમાનજી અવશ્ય વસે છે. જ્યાં રામ ત્યાં હનુમાન એવું કહેવામાં આવે છે. આવામાં જો કોઈ વ્યક્તિને હનુમાનજીની પરમ કૃપાના આશિર્વાદ લેવા હોય તો તે શ્રીરામનું નામ અવશ્ય લેવું જોઈએ. મંગળવાર અને શનિવારના રોજ આ પ્રયોગ કરવો જોઈએ. આ દિવસે કોઈપણ હનુમાન મંદિરમાં જઈને હનુમાન પ્રતિમાની સન્મુખ બેસવું. ત્યારબાદ 108 વખત શ્રીરામના નામનો જાપ કરવો. મંદિરમાં નામજાપ શક્ય ન હોય તો ઘરે પણ આ પ્રયોગ કરી શકાય. કહે છે કે દર મંગળવારે કે શનિવારે જો આ પ્રયોગ કરવામાં આવે તો હનુમાનજી પ્રસન્ન થાય છે. અને શ્રીરામના નામથી પ્રસન્ન થઈ વિવાહ આડેના સર્વ વિઘ્ન પણ દૂર કરી દે છે.

શાસ્ત્રોમાં રામનામનો તારક મંત્ર તરીકે ઉલ્લેખ છે. કે જે વ્યક્તિને મોક્ષના માર્ગ તરફ દોરી જાય છે. પણ, જ્યારે આ જ રામનામ હનુમાનજીના સાનિધ્યે બોલવામાં આવે છે ત્યારે તે જીવનની સઘળી બાધાઓથી મુક્તિ અપાવી દે છે. શ્રીરામના નામ પર તો પત્થરો પણ તરી જાય છે બસ, સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે.

પવનસુત હનુમાન એટલે તો શ્રીરામના પરમ ભક્ત, શ્રીરામના સૌથી પ્રિય ભક્ત કહે છે કે આ રુદ્રાવતારને જગતમાં શ્રીરામથી વિશેષ કશું જ પ્રિય નથી. કારણ કે હનુમાનજીના તો હૃદયમાં વસે છે શ્રીરામ. અને તે સ્વયં દિન-રાત લે છે શ્રીરામનું નામ.

આ રામનું નામ જ તમને પ્રાપ્ત કરાવી શકે છે હનુમાનજીની પરમ કૃપા ! એટલે કે, શ્રીરામના નામથી જ તમે મેળવી શકો છો પવનસુતની પ્રસન્નતા લૌકિક માન્યતામાં શ્રીરામના નામ સંબંધી આવા અનેક ઉપાયોનું વર્ણન મળે છે. કહેવાય છે કે હનુમાનજી તો સ્વયં શ્રીરામના નામનો સતત જાપ કરે છે. કારણકે હનુમાનજી તો શ્રીરામના ભક્ત છે. કહે છે કે તમે જો હનુમાનજીની મૂર્તિની સન્મુખ બેસીને શ્રીરામચંદ્રજીનું નામ લો છો તેનાથી શ્રીરામ અને હનુમાન બંન્નેની કૃપા પ્રાપ્ત થાય છે. અને ધારેલા કામ ઝડપથી પાર પડે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code